ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીકના ભવિષ્યમાં યોજાવાની છે ત્યારે ગુજરાતમાં જેનું કોઈ ખાસ અસ્તિત્ત્વ નથી તે અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી (આપ)એ ચૂંટણી લડવાનું મન બનાવ્યું છે,ગુજરાતમાં આ પાર્ટી પાસે નથી કોઈ નેતા કે નથી કાર્યકરો,આ સ્થિતિમાં જે ગણ્યાગાંઠયા આપના આગેવાનો છે તેઓ ચૂંટણી જીતવા નહિ પરંતુ વોટ તોડવાની રાજનીતિના ઈરાદે તોડ કરવા-રોકડી કરી લેવા માટે અસામાજિક તત્વો-બુટલેગરોનો સહારો લેવાની પેરવીમાં છે,આમ આદમી પાર્ટીથી જુદા પડેલા કાર્યકરોમાં જ વહેતો થયેલો આ ગણગણાટ-આક્ષેપ રાજકીય વર્તુળોમાં જોરશોરથી ચર્ચાઈ રહ્યો છે.રાજકીય વર્તુળો કહે છે કે,ગુજરાતમાં છ મહાનગપાલિકા અને જિલ્લા પંચાયતોની ચૂંટણીઓ આગામી સમયમાં યોજાવાની છે,કોરોનાના આ માહોલમાં ભાજપ-કોંગ્રેસે તો ચૂંટણીલક્ષી આંતરિક તૈયારીઓ શરૂ કરી દીધી છે,પણ ગુજરાતમાં આમ આદમી પાર્ટી પાસે કોઈ ખાસ કાર્યકરો-આગેવાનોની મોટી ફોજ નથી,સક્ષમ-મજબૂત નેતાઓના ઠેકાણાં નથી,ત્યારે કેટલાક વોર્ડમાં સ્થાનિક લોકો આપ માટે કામ કરવા તૈયાર થાય તે માટે ગણ્યાગાંઠયા આગેવાનો આજીજી કરવા માંડયા છે, જોકે લોકો તરફથી જાકારો મળી રહ્યો છે,આ સ્થિતિમાં હવે જે તે વોર્ડમાં જીતના ઈરાદે તો નહિ પરંતુ જ્યાં મુખ્ય બે પક્ષો વચ્ચે કાંટેની ટક્કર હોય, પાતળી બહુમતીથી બેઠક જીતાતી હોય,નવા સીમાંકન પછી કઈ બેઠક પર આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થઈ શકે તેવી બેઠકો શોધીને,અસામાજિક તત્વો-બુટલેગરોનો ય સાથ લેવાની ફિરાકમાં છે.ઉલ્લેખનીય છે કે,ગુજરાતમાં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ વર્ષ ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં ૩૦ જેટલી બેઠકો પરથી ઉમેદવારો ઉતાર્યા હતા,જોકે એકેય બેઠક જીતી નહોતી,મોટા ભાગના આપના ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઈ હતી,એ વખતે આમ આદમી પાર્ટી સામે કેટલીક બેઠકો પર સોદાબાજી-તોડબાજીના ગંભીર આક્ષેપો થયા હતા.