By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: દક્ષિણ ગુજરાતમાં વીજળીની અછત નથી : DGVCL MD અરવિંદ વિજયન
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > દક્ષિણ ગુજરાતમાં વીજળીની અછત નથી : DGVCL MD અરવિંદ વિજયન
GeneralSurat

દક્ષિણ ગુજરાતમાં વીજળીની અછત નથી : DGVCL MD અરવિંદ વિજયન

HM News
Last updated: 23/10/2021 11:40 AM
HM News
4 years ago
Share
SHARE

– દક્ષિણ ગુજરાતના વીજગ્રાહકો અને ખેડૂતોને વીજ પુરવઠો રાબેતા મુજબ મળતો રહેશે
– વીજ અછતની અફવાઓ કે તંગીની અટકળોથી ન ભરમાવા અનુરોધ

સુરત/ શનિવાર: વીજળીની અછત અંગેની અફવાઓને રદિયો આપતા દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી અરવિંદ વિજયનએ આજે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાત વીજ કંપનીના ગ્રાહકો અને ખેડૂતોને વીજળીનો પુરવઠો પૂરતા પ્રમાણમાં મળી રહ્યો છે. દક્ષિણ ગુજરાતના વીજ ગ્રાહકોની હાલ ૩૬૫૦ મેગાવોટ દૈનિક વીજમાંગની સામે દૈનિક વીજ પુરવઠો સાતત્યપૂર્ણ અને સમયસર રીતે મળી રહ્યો છે.હાલમાં વીજળીની કોઈ અછત નથી.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે વીજગ્રાહકોને ૨૪ કલાક વીજ પુરવઠો મળી રહે તે માટે વધુમાં વધુ ૫૦ થી ૧૦૦ મેગાવોટ જેટલો વીજકાપ (લોડ શેડિંગ) ૯૬ સ્લોટમાં ૧૫-૧૫ મીનીટમાં કાળજીપૂર્વક રીતે વિભાજીત કરવામાં આવે છે.હાલમાં નવા ચાર વીજ ઉત્પાદન યુનિટ શરૂ થઈ ચૂક્યા છે.ગ્રામ્ય વિસ્તારના ખેતીવિષયક ફીડર પર ચોમાસાની ઋતુ દરમ્યાન ૧૨ મેગાવોટની માંગ હતી જે હાલ વધીને ૧૬૫ મેગાવોટ થઈ છે.તેમણે વધુમાં કહ્યું કે વીજ કંપની દ્વારા ખેડૂતોને સમયસર અને પૂરતો વીજ પુરવઠો મળે તે સુનિશ્ચિત કરવામાં આવી રહયું છે.જો અડધો કલાક પણ વીજકાપ થયેલ હોય તો તેની પણ પૂર્તતા કરવામાં આવે છે.પત્રકાર પરિષદમાં વીજ કંપનીના મુખ્ય ઇજનેર શ્રીમતી રીટાબેન પરેરા અને અધિક મુખ્ય ઇજનેર એચ. આર. શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા.

પડતર પ્રશ્નોની માગ સાથે બારડોલી ડેપોના કર્મચારીઓના સૂત્રોચ્ચાર
ઉત્તર ભારત માટેના ટ્રેનના પ્રવાસીઓની સમસ્યાઓનું નિરાકરણ લવાશે
મહારાષ્ટ્ર પોલીસે કામરેજના ખોલવડથી 9 બાંગ્લાદેશીને ઝડપી પાડ્યા
પ્રદેશ અધ્યક્ષ તરીકે નિમણૂક બાદ પાટીલ બીજી વખત દિલ્હી દોડી ગયા, સંગઠનમાં ધરમૂળથી ફેરફારની સંભાવના
મોહન ડેલકર આત્મહત્યા કેસમાં સંડોવાયેલા આરોપીઓને સજાની માંગ સાથે કાર્યવાહી કરવા દમણ આદિવાસી સમાજે આવેદનપત્ર પાઠવ્યું
Share This Article
Facebook Email Print
Previous Article ઓલપાડના કરમલા ગામે કૃષિરાજ્યમંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો
Next Article સમીર વાનખેડેનું આખું નામ સમીર ‘દાઉદ’ વાનખેડે, મહારાષ્ટ્રના મંત્રીએ કર્યો ધર્મને લઈ આ આક્ષેપ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up