By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: દાનહના સાંસદ ડેલકર પ્રકરણ મંગળવારે વિધાનસભામાં ગાજ્યું
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > દાનહના સાંસદ ડેલકર પ્રકરણ મંગળવારે વિધાનસભામાં ગાજ્યું
GeneralNational

દાનહના સાંસદ ડેલકર પ્રકરણ મંગળવારે વિધાનસભામાં ગાજ્યું

HM News
Last updated: 10/03/2021 7:22 AM
HM News
4 years ago
Share
SHARE

– મહારાષ્ટ્ર વિધાનસભામાં વિરોધી પક્ષે મનસુખનો મુદ્દો ઉઠાવતાં શાસકોએ ડેલકરના આપઘાત પ્રકરણ ખોલ્યું

મુંબઈ : અંબાણીના ઘર નજીક વિસ્ફોટકો જેમાંથી મળ્યા તે કારના ધારક મનસુખ હિરેનના મૃત્યુ કેસમાં ક્રાઈમ ઈન્ટેલિજન્સ યુનિટ (સીઆઈયુ)ના પ્રભારી પીઆઈ સચિન વઝેની ધરપકડની માગણી વિરોધી પક્ષ દ્વારા મંગળવારે વિધાનસભામાં કરવામાં આવી હતી,જેના જવાબમાં રાજય સરકારે ભાજપની સંડોવણી ધરાવતું મોહન ડેલકર આત્મહત્યા પ્રકરણે એસઆઈટી (સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ) દ્વારા તપાસ કરવાની ઘોષણા વિધાનસભામાં કરી હતી.મનસુખ રિહન,સચિન વઝે અને દાનહના સાંસદ ડેલકર પ્રકરણ મંગળવારે વિધાનસભામાં ગાજ્યું હતું.

આ મુદ્દાનો ઉત્તર આપતાં રાજ્યના ગૃહમંત્રી અનિલ દેશમુખે ડેલકર આત્મહત્યા પ્રકરણની તપાસ એસઆઈટી મારફત તપાસ કરવામાં આવશે એવી ઘોષણા કરી હતી.ડેલકર સાત વાર સાંસદ હતા.આવી વ્યક્તિ મુંબઈમાં આવીને આત્મહત્યા કરે છે.તેમણે સુસાઈડ નોટમાં બધી બાબતોનો ઉલ્લેખ કર્યો છે.તેમાં તેમણે દાનહના પ્રશાસક પ્રફુલ્લ ખોડા પટેલનું નામ લીધું છે.પટેલ અને અન્ય અધિકારીઓ દ્વારા ત્રાસ આપવામાં આવતો હતો.વારંવાર મુશ્કેલીઓ ઊભી કરવામાં આવતી હતી.સામાજિક જીવનમાંથી ખતમ કરવાની ધમકી આપવામાં આવતી હતી,એમ ડેલકરે સુસાઈડ નોટમાં લખ્યું છે,એવી માહિતી દેશમુખે સભાગૃહમાં આપી હતી.

પટેલ અગાઉ ગુજરાતમાં ભાજપ સરકારમાં અગાઉ ગૃહમંત્રી હતા. તે સમયે કદાચ નરેન્દ્ર મોદી મુખ્ય મંત્રી હતા. પટેલની પ્રશાસક તરીકે નિમણૂક થઈ હતી.ડેલકરે સુસાઈડ નોટમાં એમ જણાવ્યું છે કે હું મુંબઈ આવીને આત્મહત્યા કરી રહ્યો છું, મને ત્રાસ ત્યાં (દાનહ) આપવામાં આવ્યો હોવા છતાં હું અહીં આત્મહત્યા કરી રહ્યો છું, કારણ કે મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરે અને મહારાષ્ટ્ર સરકાર પર મારો વિશ્વાસ છે.મને ન્યાય મહારાષ્ટ્રમાં જ મળશે.તેમનાં પત્ની કલાબેન અને પુત્ર અભિનવે પણ પત્ર આપ્યો છે.એમ દેશમુખે જણાવ્યું હતું. શિવસેનાના વિધાનસભ્ય અનિલ પરબે મનસુખ પ્રકરણની તપાસ તો થવી જ જોઈએ, પરંતુ આ જ નિયમ હેઠળ ડેલકર પ્રકરણની પણ તપાસ થવી જોઈએ એવી માગણી કરું છું,એમ વિધાનસભામાં જણાવ્યું હતું,

છત્તીસગઢના અધિકારીની આત્મહત્યાની પણ તપાસ
આ સાથે નાગપુરમાં છત્તીસગઢના આઈએએસ અધિકારી રાજેશ કુમાર શ્રીવાસ્તવે આત્મહત્યા કરી છે.તેમનો પણ તે જ ઉદ્દેશ હોઈ શકે છે.રાજેશ શ્રીવાસ્તવ અધિકારી છે.તેમને જાણ હતી કે ભાજપ સરકાર પાસેથી ન્યાય મળશે નહીં.આથી આ પ્રકરણની પણ તપાસ કરાશે, એમ દેશમુખે જણાવ્યું હતું.

આકાશને આંબી રહેલા ભાવને કાબૂમાં લેવા ડુંગળીના વેપારીઓ પર આવકવેરાના દરોડા
સુરતના અશ્વિન ચોવટીયા આપઘાત પ્રકરણમાં અવધ ગ્રુપના જ્યંતિ ઇક્લેરાનું નામ ખુલતા મચ્યો ખળભળાટ : વાંચો સુસાઇડ નોટ
ટીપુ સુલતાનના સમયમાં બનેલી જામા મસ્જિદ હનુમાન મંદિર! કર્ણાટકમાં ઊભો થયો નવો વિવાદ
JNUમાં ફરી એકવાર થઈ શરમજનક હરકત, લગાવાયા ઝીણાનાં પોસ્ટર-ભૂંસાયુ સાવરકરનું નામ
પંજશીરની પહાડીઓ પર ફાઈટર્સે સંભાળ્યો મોરચો, તાલિબાન વિરૂદ્ધ ગેરિલા યુદ્ધ શરૂ કર્યું
Share This Article
Facebook Email Print
Previous Article પેટ્રોલ-ડીઝલ મોંઘુ થયું, નોકરીઓ નથી, આ પાછળનું કારણ સેક્યુલરીઝમ છે? ઓવૈસીનો સવાલ
Next Article સુરતમાં પ્રેમિકાને પામવા બનેવીએ સાળાને ચપ્પુના ઘા મારી પતાવી દીધો ,નાના સાળાની ગર્ભવતી પત્ની સહિત ચારને લાકડાના ફટકા માર્યા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up