By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના કેસ 9 હજારને પાર, 26 લોકોના મોત
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના કેસ 9 હજારને પાર, 26 લોકોના મોત
GeneralNational

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના કેસ 9 હજારને પાર, 26 લોકોના મોત

HM News
Last updated: 27/04/2023 8:50 AM
HM News
2 years ago
Share
SHARE

– આજે ગત દિવસ કરતા કોરોનાના ઓછા કેસ નોંધાયા
– દેશમાં અત્યાર સુધીમાં ચાર કરોડથી વધુ લોકો કોરોનાથી સાજા થયા

આજે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 9,355 નવા કેસ નોંધાયા છે.આ ઉપરાંત 26 નવા મૃત્યુ બાદ દેશમાં કોવિડને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 5,31,424 થઈ ગઈ છે.જો કે આજે ગત દિવસ કરતા કોરોનાના ઓછા કેસ નોંધાયા છે.

દેશમાં ચાર કરોડથી વધુ લોકો કોરોનાથી સાજા થયા

દેશમાં ગઈકાલે કોરોનાના 9,629 કેસ નોંધાયા હતા.આ સાથે કોરોનાથી 29 લોકોના મોત થયા હતા.આ મોતમાં એકલા કેરળના 10 દર્દીઓ સામેલ હતા.આજે જાહેર થયેલા આંકડા બાદ દેશમાં સક્રિય કેસની સંખ્યા વધીને 57,410 થઈ ગઈ છે.દૈનિક પોઝીટીવીટી દર 4.08 ટકા અને સાપ્તાહિક પોઝીટીવીટી દર 5.36 ટકા નોંધવામાં આવ્યો છે.દેશમાં અત્યાર સુધીમાં ચાર કરોડથી વધુ લોકો કોરોનાથી સાજા થયા છે.આ આંકડો વધીને 4,43,35,977 થઈ ગયો છે.અત્યાર સુધીમાં કોરોના રસીના કુલ 220,66,54,444 ડોઝ આપવામાં આવ્યા છે.જેમાં છેલ્લા 24 કલાકમાં 4,358 લોકોને રસી આપવામાં આવી હતી.આ ઉપરાંત કોવિડ કેસની કુલ સંખ્યા 4.49 કરોડ પર પહોંચી ગઈ છે.

દેશના કેટલાક રાજ્યોમાં કોરોનાની આ સ્થિતિ

રાજધાની દિલ્હીમાં અત્યાર સુધીમાં કુલ કોરોના કેસની સંખ્યા વધીને 20,36,196 થઈ ગઈ છે.આગલા દિવસે 1040 નવા કેસ નોંધાયા હતા.હાલમાં 4708 એક્ટિવ કેસ છે અને કુલ કેસની સંખ્યા વધીને 20,36,196 થઈ ગઈ છે.રાજસ્થાનમાં કોરોના વાયરસના કારણે વધુ ત્રણ લોકોના મોત થયા છે.આ ઉપરાંત એક દિવસમાં કોવિડ-19ના 498 નવા કેસ નોંધાયા છે.રાજસ્થાનના આરોગ્ય વિભાગ દ્વારા આ માહિતી આપવામાં આવી છે.દેશભરમાં 26 મૃત્યુના આંકડામાં એકલા કેરળમાં 6 મૃત્યુ નોંધાયા છે.આગલા દિવસે પણ કુલ 29 મૃત્યુમાંથી કેરળમાં 10 મૃત્યુ નોંધાયા હતા.છેલ્લા 24 કલાકમાં ઉત્તર પ્રદેશમાં 627 નવા કોવિડ કેસ નોંધાયા છે જેમાં બુલંદશહરમાં એક મૃત્યુ નોંધવામાં આવ્યું હતું.આરોગ્ય વિભાગના આંકડા મુજબ રાજ્યમાં પોઝીટીવીટી દર 1.63 ટકા છે.

મેસ્સીએ યુઝ કરેલ ટીસ્યુની કિંમત 1 મિલિયન ડોલર
જામકંડોરણામાં મેઘ મુશળધાર, ૮ ઇંચ વરસાદ ખાબક્યો
સીઆર પાટીલે કોંગ્રેસ અને આપ પાર્ટીને કૂતરા અને બિલાડા કહ્યા ત્યારે હવે મનસુખ વસાવાએ છોટુ વસાવાને રંગ બદલતો કાચીંડો કહ્યો…
કોંગ્રેસની કમાન સોનીયા પાસે પરંતુ પડદા પાછળ રાહુલ ગાંધી કેપ્ટન
અફઘાનિસ્તાન : ઝૂક્યુ તાલિબાન, ગુરૂદ્વારામાં પાછુ લગાવાયુ નિશાન સાહિબ
Share This Article
Facebook Email Print
Previous Article ભારતે માત્ર 4 વર્ષમાં અધધધ…178 ટન સોનું ખરીદયું, દુનિયાના કુલ રિઝર્વનું 8% સોનું હવે RBI પાસે
Next Article દેશમાં નવી 157 સરકારી નર્સિગ કોલેજો શરૂ કરવાની મંજૂરી, કેન્દ્રએ રૂ.1570 કરોડ ફાળવ્યા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up