ગુજરાતના 4 મહાનગરોમાં કોરોનાના કારણે રાત્રિ કર્ફ્યૂ યથાવત છે.આને લઇને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું છે કે,ધંધા-રોજગાર બેઠા થાય તે દિશામાં નિર્ણય લેવાશે.નીતિન પટેલે અમદાવાદ,સુરત,રાજકોટ અને વડોદરામાં તબક્કાવાર રીતે રાત્રિ કર્ફ્યૂ હટાવવામાં આવશે તેવી વાત કહી છે.ઉલ્લેખનીય છે કે આ પહેલા રાત્રિ કર્ફ્યૂને લઈને સીએમ વિજય રૂપાણીએ જાહેરાત કરી હતી કે,ચારેય મહાનગરોમાં રાત્રિ કરફ્યૂ યથાવત રહેશે.
31મી જાન્યુઆરી સુધી રાત્રી કર્ફ્યૂ યથાવત રહેશે
15 દિવસ સુધી એટલે કે 31મી જાન્યુઆરી સુધી રાત્રી કર્ફ્યૂ યથાવત રહેશે.અમદાવાદ,રાજકોટ,સુરત અને વડોદરામાં રાત્રી કર્ફ્યૂને લઈને લોકોના મનમાં જે સવાલ હતો તેનો અંત આવી ગયો છે.અત્રે ઉલ્લેખનીય છે કે,દિવાળીના તહેવારો બાદ કોરોનાના કેસ વધતા અમદાવાદ સહિત રાજકોટ,વડોદરા,સુરતમાં રાત્રી કર્ફ્યૂ લાદવાનો સરકારે નિર્ણય લીધો હતો.રાતના દસ વાગ્યા બાદ રાત્રિ કરફ્યૂનો અમલ રહે છે.
ગુજરાતમાં મરણતોલે કોરોના
બીજી તરફ રાજ્યમાં કોરોનાના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં કોરોનાના કેસ સતત ઘટ્યા છે. 25 તારીખે રાજ્યમાં કોરોનાનાં 390 પોઝિટિવ કેસ આવ્યા છે,જ્યારે રાજ્યમાં વધુ 3 દર્દીએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 4379 એ પહોંચ્યો છે. 707 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે.ગુજરાતમાં સાજા થવાનો દર ધીરે ધીરે વધી રહ્યો છે અને 96.64 ટકાએ પહોંચ્યો છે.