અમદાવાદ, : ધો.૧૦ અને ૧૨ સાયન્સની બોર્ડ પરીક્ષાની ઉત્તરવહીઓની ચકાસણી કામગીરી પૂર્ણ થઈ ગઈ છે.જ્યારે ધો.૧૨ સામાન્ય પ્રવાહની ઉત્તરવહી ચકાસણી કામગીરી બેથી ત્રણ દિવસમાં પૂર્ણ થશે.૧૨ સાયન્સનું પરિણામ ૨૫મેની આસપાસ જાહેર કરી દેવાશે.જ્યારે ધો.૧૦ અને ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ જુનમાં જાહેર થશે.ધો.૧૦ અને ૧૨ની મુખ્ય જાહેર બોર્ડ પરીક્ષાઓ ૨૮મી માર્ચથી ૧૨ એપ્રિલ સુધી ચાલી હતી.બોર્ડ દ્વારા ઉત્તરવહીઓની ચકાસણી કામગીરી ૧૧મી એપ્રિલથી શરૃ કરી દેવાઈ હતી.રાજ્યના ૧૭૪ મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રોમાં ૬૦ હજારથી વધુ શિક્ષકો દ્વારા ઉત્તરવહી ચકાસણીની કામગીરી ચાલી રહી હતી.ધો.૧૦,૧૨ સાયન્સ અને ૧૨ સા.પ્ર.ની તમામ વિષયો-તમામ માધ્યમોની મળીને અંદાજે એક કરોડથી વધુ ઉત્તરવહીઓ તપાસવાની થતી હોઈ ધો.૧૦ની ૫૮.૩૨ લાખથી વધુ ઉત્તરવહીઓ તપાસાઈ ગઈ છે.૧૨ સાયન્સની ઉત્તરવહીઓની ચકાસણી પણ પૂર્ણ થઈ ગઈ છે.૧૨ સા.પ્ર.નું ચકાસણી કાર્ય ૯૦ ટકાથી વધુ પૂર્ણ થઈ ગયુ છે.ધો.૧૨ સાયન્સનું પરિણામ સૌથી પહેલા જાહેર થશે અને જે મેના અંત પહેલા જાહેર થઈ થશે.પરંતુ ૧૨ સા.પ્ર. અને ધો.૧૦નુ પરિણામ થોડું મોડુ જાહેર થશે.જુનના પ્રથમથી બીજા સપ્તાહમાં આ પરિણામો જાહેર થશે.


