બિહારના મુજફ્ફરનગરની એક ગર્ભવતી મહિલાએ ડૉક્ટરો વિરુદ્ધ ઉપભોક્તા ફોરમમાં કેસ દાખલ કરાવ્યો છે.મહિલાએ જિલ્લાના મોતીપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC)મા નસબંધી કરાવી હતી.નસબંધી બાદ પણ તે ગર્ભવતી થઈ ગઈ.હવે મહિલાએ ઉપભોક્તા કોર્ટમાં 11 લાખ રૂપિયા વળતર આપવાની માંગણી કરી છે.તેની સુનાવણી 16 માર્ચે થશે.આ બાબતે તેણે સ્વાસ્થ્ય વિભાગના મુખ્ય સચિવ પર કેસ દાખલ કરાવ્યો છે.મોતીપુર બ્લોક અંતર્ગત સરકારી હૉસ્પિટલમાં પરિવાર નિયોજન કાર્યક્રમ હેઠળ 27 જુલાઇ 2019ના રોજ ફૂલકુમારીએ નસબંધી કરાવી હતી.
એ દરમિયાન તેણે સરકાર તરફથી બતાવવામાં આવેલા બધા નિર્દેશોનું પાલન કર્યું હતું.મહિલાએ જણાવ્યું કે પહેલા જ તેમના 4 બાળકો છે,જેનો ખર્ચ ઉઠાવવો તેના પરિવાર માટે સંભવ નથી.પરિવાર નિયોજનનું ઑપરેશન કરાવ્યા છતાં તે બે વર્ષ બાદ પાંચમીવાર ગર્ભવતી થઈ ગઈ છે.એવામાં તેની આર્થિક હાલત આ બાળકને પાલન પોષણની મંજૂરી આપી રહી નથી.આ બાબતને લઈને મહિલાના વકીલ એસ.કે. ઝાએ જણાવ્યું હતું કે મહિલા ખૂબ ગરીબ પરિવારની છે,જે 4 બાળકોનું ભરણ પોષણ કરવામાં સક્ષમ નથી.
વકીલે કહ્યું કે મહિલા ફરી ગર્ભવતી થઈ ગઈ છે,જે સરકારી ખરાબ વ્યવસ્થા દેખાડે છે.જિલ્લા ઉપભોક્તા આયોગમાં કેસ દાખલ થઈ ગયો છે.આ બાબતની સુનાવણી આગામી 16 તારીખે નિર્ધારિત કરવામાં આવી છે.મુખ્ય સચિવ સ્વાસ્થ્ય વિભાગ સિવાય અન્ય 3 વિરુદ્ધ કેસ દાખલ કરાવવામાં આવ્યો છે.મહિલાનું કહેવું છે કે તેણે પરિવાર નિયોજનનું ઓપરેશન કરાવ્યું પરંતુ બે વર્ષ બાદ ફરી ગર્ભવતી હોવાના કારણે પરિવારમાં ઘણી નિરાશા છે.
હવે તેણે આ બાબતની ફરિયાદ મોતીપુર હૉસ્પિટલમાં કરી તો તેનું અલ્ટ્રાસાઉન્ડ કરાવવામાં આવ્યું.તેમાં પણ તે ગર્ભવતી હોવાની પુષ્ટી થઈ ગઈ તો તે હેરાન રહી ગઈ.પરિવાર નિયોજન બાદ મહિલા ગર્ભવતી હોવાની બાબતે જિલ્લા ચિકિત્સા પદાધિકારીએ જણાવ્યું હતું કે આ રીતેનો કેસ ધ્યાનમાં આવ્યો છે.એવા કેસ સામે આવે છે,જેમને ફોર્મ ભરવા પર 30 હજારની રકમ આપવામાં આવે છે.તેને પણ આ રકમ આપવામાં આવશે.
ઑપરેશન દરમિયાન કંઈક એવું ફેલ થઈ જાય છે.આ પહેલા જુમઈમાં નસબંધી ઑપરેશનના 6 વર્ષ બાદ મહિલા ગર્ભવતી થઈ ગઈ હતી.તેણે પણ ઑપરેશન કરાનારા ડૉક્ટર પર બેદરકારીનો આરોપ લગાવીને સ્વાસ્થ્ય વિભાગમાં ફરિયાદ કરી હતી. સામાન્ય રીતે માનવામાં આવે છે કે નસબંધી ઑપરેશન પૂરી રીતે સફળ છે પરંતુ નસબંધી નિષ્ફળ રહેવા પર રાજ્ય સરકારો ક્ષતિપૂર્તિ યોજના હેઠળ વળતર આપે છે પરંતુ તે ખૂબ જ સામાન્ય હોય છે.