પાકિસ્તાનમાં રહેનારા હિંદુ,શીખ અને ઈસાઈ લઘુમતી સમુદાય પર ધાર્મિક અત્યાચારની ઘટનાઓ સતત વધતી જોવા મળી રહી છે.ધર્મ પરિવર્તન માટે બદનામ સિંધ પ્રાંતનાં મીરપુર ખાસથી એક નાબાલિક હિંદુ છોકરી મોમલ ભીલનું અપહરણ કરી લેવામાં આવ્યું છે.કહેવામાં આવી રહ્યું છે કે આ છોકરીનું જબરદસ્તીથી ધર્મ પરિવર્તન કરાવીને નિકાહ કરાવવાની તૈયારી કરવામાં આવી રહી છે.
12 વર્ષની મોમલ ભીલનું અપહરણ
વૉઇસ ઑફ પાકિસ્તાન માઇનોરિટી અનુસાર,12 વર્ષની મોમલ ભીલનું કટ્ટર ઇસ્લામી કટ્ટરપંથીઓએ ઘરેથી અપહરણ કરી લીધું.પરિવારવાળાઓએ જ્યારે પોલીસને સૂચના આપી તો તેમણે પણ કંઇ ના કર્યું. થાકી-હારીને હવે પરિવાર ભગવાનનાં ભરોસે છે,કેમકે આ કટ્ટરપંથીઓની આગળ લઘુમતી હિંદુ સમુદાય કંઇ નથી કરી શકતો. લઘુમતીઓ પર અત્યાચાર માટે બદનામ સિંધમાં આ પહેલી ઘટના નથી.
સિંધનાં બાદિનમાં 102 હિંદુઓને ઇસ્લામ કબૂલ કરાવાયો
જૂનનાં અંતિમ અઠવાડિયામાં આવેલા રિપોર્ટ અનુસાર સિંધ પ્રાંતમાં મોટા સ્તર પર હિંદુઓનું ધર્મ પરિવર્તન કરાવીને મુસ્લિમ બનાવવાની ઘટના સામે આવી હતી. સિંધનાં બાદિનમાં 102 હિંદુઓને જબરદસ્તીથી ઇસ્લામ કબૂલ કરાવવામાં આવ્યો.આ લોકોમાં બાળકો,મહિલાઓ અને પુરોષો સામેલ છે.માનવ અધિકાર સંસ્થા મૂવમેન્ટ ફૉર સૉલિડેરિટી એન્ડ પીસ અનુસાર,પાકિસ્તાનમાં દર વર્ષે 1000થી વધારે હિંદુ અને ઈસાઈ મહિલાઓ અથવા છોકરીઓનું અપહરણ કરવામાં આવે છે,ત્યારબાદ તેમનું ધર્મ પરિવર્તન કરવામાં આવે છે અને ઇસ્લામી રીતિ-રિવાજ પ્રમાણે નિકાહ કરાવવામાં આવે છે.
પીડિતાઓની ઉંમર 12થી 25 વર્ષની વચ્ચે હોય છે.માનવ અધિકાર સંસ્થાએ એ પણ દાવો કર્યો છે કે આંકડાઓ આનાથી ઘણા વધારે હોઈ શકે છે, કેમકે મોટાભાગનાં કેસને પોલીસ નોંધતી નથી.