જમ્મુ : જમ્મુ કાશ્મીરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત પહેલા પ્રતિબંધિત આતંકી જૂથ જૈશે મોહંમદના એક આત્મઘાતી હુમલાના પ્રયાસને નિષ્ફળ બનાવવાયો હતો.સુરક્ષા દળોએ શુક્રવારે એન્કાઉન્ટરમાં બે શકમંદ પાકિસ્તાન ત્રાસવાદીઓને ઠાર કર્યા હતા.આ અથડામણમાં સીઆઇએસએફના એક અધિકારીનું મોત થયું હતું અને નવ સુરક્ષા જવાનો ઘાયલ થયા હતા.છેલ્લાં 24 કલાકમાં સુરક્ષા દળોએ કુલ ચાર આતંકીઓનો સફાયો હતો.જમ્મુ નજીકના સુંજવાન એરિયામાં આ વહેલી સવારે આ એન્કાઉન્ટ થયું હતું.પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) દિલબાગ સિંહે જણાવ્યું હતું કે આ બે ત્રાસવાદીઓ પાકિસ્તાન સ્થિત જૈશે મોહંમદના આત્મઘાતી ટૂકડીના સભ્યો હતો અને તેમની ઘુસણખોરીથી વડાપ્રધાનની જમ્મુ અને કાશ્મીરની મુલાકાતને ખોરવી નાંખવાનું મોટું કાવતરુ હોઇ શકે છે.
પ્રાથમિક તપાસ મુજબ આ બે ત્રાસવાદીઓએ આર એસ પુરામાં આંતરરાષ્ટ્રીય સરહદમાંથી ઘુસણખોરી કરી હતી અને ગુરુવારે જમ્મુ શહેરમાં પ્રવેશ્યા હતા અને તેઓ સુંજવાન આર્મી કેમ્પની નજીકના વિસ્તારમાં રહેતા હતા.આ બંને ત્રાસવાદીઓને સુરક્ષા દળોના કેમ્પ પર હુમલો કરીને મોટી જાનહાની કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું.આ ત્રાસવાદીઓએ સ્યુસાઇડ વેસ્ટ પહેર્યા હતા અને ભારે માત્રામાં શસ્ત્રો અને દારુગોળો હતો.જીડીપીએ જણાવ્યું હતું કે વડાપ્રધાનની મુલાકાતના બે દિવસ પહેલા આ એન્કાઉન્ટર થયું છે.તે જમ્મુની શાંતિ ડહોળવાનું અને પીએમની મુલાકાતમાં ભાંગફોડ કરવાનું મોટું કાવતરું હતું.પોલીસને સમયસર ગુપ્ત માહિતી મળી હતી અને આ કાર્યવાહી સફળ રહી છે.સુરક્ષા દળોએ શુક્રવારે વહેલી સવારે 4.25 કલાકે કાર્યવાહી ચાલુ કરી હતી.તે સમયે આતંકીઓ આર્મી કેમ્પ તરફ આગળ વધી રહ્યાં હતા.

