ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના સેક્યુલરીઝમના નિવેદન સામે AIMIM સુપ્રીમો અસદુદ્દીન ઓવૈસીએ વળતો જવાબ આપ્યો છે.ઓવૈસીએ પૂછ્યું છે કે, પેટ્રોલ-ડીઝલ અને LPGના ભાવ વધી ગયા છે.નોકરીઓ છે નહીં.શું આ બધું સેક્યુલરીઝમને કારણે છે? તેમણે યોગીના સેક્યુલરીઝમના નિવેદનને વાહીયાત કહ્યું હતું.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું હતું કે, ભારતની સમૃદ્ધ પરંપરાઓને આગળ વધારવામાં સેક્યુલરીઝમ શબ્દ સૌથી મોટો ખતરો છે.સેક્યુલરીઝમ શબ્દ ભારતની આ સમૃદ્ધ પરંપરાઓને આગળ વધારવામાં અને વૈશ્વિક મંચ પર સ્થાન અપાવવામાં સૌથી મોટી બાધા સમાન છે.ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીના આ નિવેદન સામે સોમવારે ઓવૈસીએ કહ્યું હતું કે, પેટ્રોલ-ડીઝલની કિંમત વધી, LPGમાં ભાવ વધારો થયો, મહિલાઓ અહીં હેરાન પરેશાન છે.આ શું સેક્યુલરીઝમ છે? આજે યુવાનોને નોકરી મળતી નથી.સેક્યુલરીઝમને કારણે? તમે સેક્યુલરીઝમના નામે ભૂમિ પૂજન કરી નાંખો છો.
તમે મુખ્યમંત્રી છો.વડાપ્રધાન છો તમે કરી લો છો.શું એ સેક્યુલરીઝમ છે? તમે તો ભારત સરકાર છો. સરકારનો કોઈ ધર્મ હોય છે ખરો? ભારત દેશનો કોઈ ધર્મ છે? ભારત દેશનો કોઈ ધર્મ નથી,ભવિષ્યમાં પણ નહીં રહે.ભારત તમામ ધર્મોને માને છે. ભારત એમને પણ માને છે.જેનો કોઈ ધર્મ નથી.ક્યારેક તમે કહો છો કે, મેજોરીટી સેક્યુલર છે.એટલે ભારત સેક્યુલર છે.ક્યારેક તમે કહો છો કે, સેક્યુલરીઝમ જ ભારતને દુનિયામાં એક મુકામ સુધી પહોંચાડવામાં વિધ્નરૂપ છે.જે બંધારણના નામ પર તમે શપથ ગ્રહણ કરો છો.જેના પર તમે વડાપ્રધાન, મુખ્યમંત્રી બનો છો. તમે એના જ ચીથડાં ફાડો છો.
બેઝિક સ્ટ્રક્ચરનો એક ભાગ છે સેક્યુલરીઝમ અને ભારતના સૌથી મોટા રાજ્યના મુખ્યમંત્રી આવી વાહિયાત વાત કરે છે.એની સામે ભાજપ પણ મૌન ધારણ કરીને બેઠો છે.અહીં મોટાભાગના લોકો ઘર્મનિરપેક્ષ છે એટલા માટે ભારત ધર્મનિરપેક્ષ છે. સંઘ ભારતની વિવિધતાને ઓળખવા માટે તૈયાર ન હતું.શું બંધારણની પ્રસ્તાવનામાં સ્વતંત્ર વિચારની ગેરેન્ટી ધર્મનિરપેક્ષતા નથી દર્શાવતી? જોકે, યોગીના નિવેદન બાદ દેશમાં આ મુદ્દે રાજકારણ ગરમાયું છે.ફરી એકવખત દેશની રાજકીય પાર્ટીમાં સેક્યુલરીઝમનું ભૂત ધૂણી રહ્યું છે.જોકે,આમા સામસામે આક્ષેપબાજી સિવાય કોઈ મુદ્દો નથી.