અમદાવાદ,બુધવાર : અમદાવાદમાં પૂર ઝડપે વાહન હંકારવાના કારણે અકસ્માતના બનાવો વધી રહ્યા છે, અસારવામાં રહેતા યુવકના બાઇકને ટક્કર મારી મોતને ઘાટ ઉતારી વાહન ચાલક ભાગી ગયો હતો.આ બનાવ અંગે ટ્રાફિક પોલીસે ગુનો નોેધી ફરાર વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે.બાબુપુરા પાસે અકસ્માત થયો ઃ સારવાર દરમિયાન સિવિલમાં મોત નીપજ્યું.આ કેસની વિગત એવી છે કે ટ્રાફિક એફ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અસારવામાં હરિપુરા ખાતે કેશવલાલના વાડોમાં રહેતા રાજુજુ મગનજી ઠાકોર (ઉ.વ.૩૧)એ અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોેધાવી છે કે તેમના મોટાભાઇ દિનેશભાઇ મગનજી ઠાકોર બાઇક લઇને તા.૨ના રોેજ રાતે ૧૦.૪૫ વાગે અસારવા બાબુપુરા ભાલેનાથ મંદિર પાસેથી પસાર થતા હતા આ સમયે અજાણ્યા ટુ વ્હીલર ચાલકે તેમના બાઇકને ટક્કર મારીને નાસી ગયો હતો.
ટક્કર વાગવાથી યુવકને માથા તથા પગમાં ગંભીર ઇજાઓ થઇ હતી. તેઓને સિવિલમાં ટ્રોમા વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા.ફરિયાદી હોસ્પિટલમાં ગયા ત્યારે તેમના ભાઇને છાતીમાં સખત દુખાવો થતો હતો. સારવાર દરમિયાન દિનેશજી મૃત્યું પામ્યા હતા.આ ઘટના અંગે ટ્રાફિક પોલીસે વાહન ચાલક સામે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે તપાસ કરીને તેની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેેલા કાંકરિયા પાસે દિવાન બલ્લુભાઇ સ્કૂલ નજીક મોપેડ સ્લીપ થતાં સગીરનું ચાર દિવસની સારવાર દરમિયાન મોત થયું હતું.જ્યારે વાહન ચાલક યુવક ગંભીર રાતે ઘાયલ થતાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.