અરબી સમુદ્રમાં સર્જાયેલ બિપોરજોય વાવાઝોડાની ગતિમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.હાલ આ વાવાઝોડું ગુજરાતથી માત્ર 300 કિલોમીટરની દૂરી પર છે.ત્યારે હાલ રાજયના મોટા ભાગના વિસ્તારોમાં આ વાવાઝોડાની અસર પણ જોવા મળી રહી છે.દરિયા કિનારે 10 નંબરના સિગ્નલ લગાડી દેવામાં આવ્યા છે.પીએમ મોદીએ 24 કલાક કન્ટ્રોલ રૂમ શરૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો.બિપોરજોય વાવાઝોડું જખૌમાં ત્રાટક્શે જેને લઈ તંત્ર સજ્જ થઈ ગયું છે.લોકોને હાલ સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે.
વોવાઝોડાની અસર હાલ મોટાભાગના વિસ્તારોમાં જોવા મળી રહી છે.વેરાવળ અને સુત્રાપાડામાં આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ શરુ થઈ ગયો છે.છેલ્લા 24 કલાકમાં સાઠ આઠ ઈંચ વરસાદ ખાબક્તા રસ્તાઓ બેટમાં ફેરવાયા છે.બિપરજૉય વાવાઝોડું વધુ નજીક આવતાં સમુદ્રમાં મોજાં 10થી 15 ફૂટ સુધી ઉછળ્યાં હતાં.ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપત્તિ વ્યવસ્થાપનના ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની મુલાકાત લઇને બિપોરજોય વાવાઝોડાની સ્થિતિ અને તેની સામે રાહત અને બચાવ કાર્યની તૈયારીઓની સમીક્ષા કરી હતી.તંત્ર દ્વારા હાલ શેલ્ટર હોમ તૈયાર કરવામાં આવ્યા છે જેમાં તમામ પ્રકારની સુવિધાઓ પણ કરવામાં આવી છે.દરિયા કિનારાના આસપાસના તમામ ગ્રામજનોને હાલ સેલ્ટર હોમમાં રાખવામાં આવ્યા છે.
દરિયાઇ વિસ્તારના 8 જિલ્લામાં કુલ 1,500 હોર્ડિંગ્સ દૂર કરવામાં આવ્યા છે અને બાકીના બીજા મોટા મોટા હોડિંગો ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.આ સાથે લોકોને સાવચેત રહેવા માટેની સલાહ આપવામાં આવી રહી છે.દરિયામાં રહેલી મોટા ભાગની બોટોને હાલ પાછી બોલાવી લેવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, હાલ મોટાભાગના બંદરો પર 10 નંબરનું સિગ્નલ લગાડી દેવામાં આવ્યું છે.આ વાવાઝોડાને કારણે દરિયા કાંઠાના મોટાભાગના લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.તંત્ર દ્વારા હાલ લોકોને વાવઝોડાને લઈ સાવચેતી રાખવા માટેની પણ વારંવાર અપીલ કરવામાં આવી રહી છે.તો બીજી બાજુ અમદાવાદમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે.શહેરમાં હવાની ગતિમાં વધારો જોવા મળ્યો છે.આ સાથે હવામાન વિભાગે અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે.