ભાજપમાંથી ટીકિટ લેવી હશે તો પાળવા પડશે આ નિયમો, પાટીલ ભાઉએ ખેલેલાં નવા દાવથી ઘણા ધુરંધરો અટવાશે : ભાજપની શિસ્તના ઘજાગરાં ઉડયા

HM News
3 Min Read

સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થઇ ચૂકી છે ત્યારે ભાજપ ઇલેક્શન મોડમાં આવ્યું છે.મ્યુનિ.કોર્પોરેશન અને પંચાયતોની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગીનો દોર શરૂ કરી દેવાયો છે.આજથી અમદાવાદ સહિતના શહેરોમાં ઉમેદવારોની પસંદગીને લઇને સેન્સ લેવાનું શરૂ કરાયુ છે.જોકે,આ વખતે ભાજપે ટીકીટ મેળવવા માટે નવી ફોર્મ્યુલા ઘડી કાઢી છે જેમાં દાવેદારને આ વાત પૂછવામાં આવશે કે,રામજન્મભૂમિમાં દાન આપ્યુ છે કે કેમ.આ ઉપરાંત 55 વર્ષથી વધુ વયના દાવેદારને ટીકીટ જ આપવામાં આવશે નહીં.

અમદાવાદ સહિત રાજ્યમાં ઉમેદવારોની સેન્સ લેવાનું શરૂ કર્યુ

રાજ્ય ચૂંટણી પંચે સૃથાનિક સ્વરાજની ચૂંટણીઓનુ એલાન કરી દીધું છે જેના પગલે ભાજપે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા આરંભી દીધી છે.આજથી ભાજપે અમદાવાદ સહિત રાજ્યમાં ઉમેદવારોની સેન્સ લેવાનું શરૂ કર્યુ છે.અત્યારે પરિસ્થિતિ એવી થઇ છે કે,ભાજપની ટીકીટ મેળવવા દાવેદારોની લાંબી લાઇન લાગી છે.ખાસ કરીને એક એક વોર્ડમાં 50થી વધુ દાવેદારોએ ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી છે.આ સંજોગોમાં ભાજપ માટે ઉમેદવાર પસંદ કરવાનું મુશ્કેલ બન્યું છે.દાવેદારોએ રાજકીય ગોડફાધરોની વગના જોરે ટીકીટ મેળવવા એડીચોટીનું જોર લગાવ્યુ છે.

ટીકીટ વાંચ્છુઓના ધાડેધાડાં જોઇને અટપટાં નિયમો ઘડયાં

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પણ ટીકીટ વાંચ્છુઓના ધાડેધાડાં જોઇને અટપટાં નિયમો ઘડયાં છે જેમ કે, પેજ સમિતી બનાવી હોય,સરકારી યોજનાનો ઘેર ઘેર જઇને પ્રચાર કર્યો હોય,સોશિયલ મિડીયા થકી ભાજપ-સરકારની વાત લોકો સુધી પહોંચાડી હોય તેવા દાવેદારને પ્રથમ તક આપવામાં આવશે.આ ઉપરાંત પહેલીવાર દાવેદારે એવું ય જણાવવુ પડશે કે,રામજન્મ ભૂમિ પર આકાર લઇ રહી રહેલાં રામમંદિર માટે કેટલું અનુદાન આપ્યું.

દાન આપનારાંને તક અપાશે, સોશિયલ મિડીયામાં ફોર્મ થયું વાયરલ

રામમંદિરમાં દાન આપનારાંને તક અપાશે.સોશિયલ મિડીયામાં ફોર્મ પર વાયરલ થયું છે. 55 વર્ષથી વધુ વય હશે તો ચૂંટણી લડવા પર ભાજપે બ્રેક મારી છે.માત્ર યુવાઓને જ પ્રાધાન્ય આપવામાં આવશે.તા.24, 25, 26મી સુધી ઉમેદવારોને લઇને સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે. 26-27મી જાન્યુઆરીએ નિરીક્ષકો કાર્યકરોને પણ સાંભળશે.અમદાવાદ શહેરમાં નિરીક્ષકોની 12 ટીમ હાલમાં 48 વોર્ડ માટે ઉમેદવારીની પસંદગીને લઇને સેન્સ લઇ રહી છે.સ્થાનિક કક્ષાએ જે દાવેદારનું નામ આવશે તેના પર જ પાર્લામેન્ટ્રી બોર્ડ પસંદગીની મહોર મારશે.અત્યારે તો ટીકીટ માટે નિયમો ઘડાયાં છે પણ તેનો કેટલો અમલ થાય છે તે તો સમય જ કહેશે.

ભાજપની શિસ્તના ધજાગરાં ઉડયાં, ટિકિટ માટે જાહેરમાં મારામારી

દાવેદાર ઘાયલ શિસ્તબધૃધ કહેવાતાં ભાજપ પક્ષમાં હવે ટીકીટ માટે ય માત્ર ખેચતાણ જ નહીં,પણ જાહેરમાં મારામારી થઇ છે.ભાજપ યુવા મોરચાના કારોબારી સભ્ય લવ ભરવાડે પત્નિ માટે ટીકીટ માંગી હતી.કોર્પોરેટર ગીરીશ પ્રજાપતિએ પણ ટીકીટ માંગી હતી.આજે જયારે ભાજપે સેન્સ લેવાનું શરૂ કર્યું હતું ત્યારે જ દેવી સિનેમા પાસે લવ ભરવાડે કેમ ટીકીટ માંગી તેમ કહીને ગીરીશ પ્રજાપતિ પર હુમલો કર્યો હતો. જાહેરમાં મારામારી થતાં ગીરીશ પ્રજાપતિ ઘાયલ થયા હતાં અને તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલ લઇ જવાયા હતાં.આમ,ભાજપની શિસ્તના ઘજાગરાં ઉડયા હતાં.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *