નવી દિલ્હી: ભારતમાં કોરોના સંક્રમણ વધતા જ બ્રિટન,અમેરિકા,રશિયા સહિતના દેશોએ ભારતમાંથી આવતા પ્રવાસી પર નિયંત્રણો લાદવાની જાહેરાત કરી છે અને પાડોશી દુબઈ કે જેણે ઓપન ટુ ઓલ જેવી પ્રક્રિયા અપનાવી હતી તેણે પણ હવે ભારતીયો માટેના નિયમો વધુ કડક બનાવ્યા છે.બ્રિટનના વડાપ્રધાન બોરીસ જોન્સનની ભારત મુલાકાત રદ કર્યાના કલાકોમાંજ બ્રિટનના આરોગ્ય વિભાગે ભારતને પ્રવાસ-સહેલાણી બાબતોમાં રેડલીસ્ટમાં મુકી દીધુ છે જે શુક્રવારથી અમલી બની જશે અને હવે બ્રિટીશ અને આઈરીશ નાગરિકો જ ભારતથી બ્રિટનમાં પ્રવેશી શકશે અને તેઓએ પણ 10 દિવસ હોટેલ કોરન્ટાઈન થવું પડશે.
ઉપરાંત તેઓએ બ્રિટનમાં પ્રવેશતા પુર્વે તેમનો 48 કલાકની અંદરનો જરૂરી હશે. અગાઉ આ રીપોર્ટ 72 કલાકનો હતો તે સ્વીકાર્ય બન્યો હતો.ભારત અને બ્રિટન વચ્ચે દર સપ્તાહે 20 ફલાઈટ ઉડે છે અને તેથી આ દિવસની સેવાને પણ મોટી અસર થશે.બીજી તરફ ભારતમાં વિદેશી મિશન દ્વારા હાલ વિસા પ્રક્રિયાને બ્રેક મારી દીધી છે.નવી દિલ્હી ખાતેની અમેરિકી એમ્બેસીએ તેના વિસા ઈન્ટરવ્યુ હાલ મુલત્વી રાખ્યા છે.દિલ્હીમાં ગઈકાલથી જ લોકડાઉન જાહેર થયુ છે તો રશિયાએ પણ તેના વિસા કામકાજ હાલ થંભાવી દીધા છે.ન્યુઝીલેન્ડે તો તા.11થી28 એપ્રીલ વચ્ચે તેના નાગરિકો સહિત ભારતમાંથી કોઈ પ્રવાસીઓને હાલ પ્રવેશ નહી આપવા જાહેરાત કરી છે.
હોંગકોંગે ભારતથી આવતી-જતી તમામ વિમાની સેવાઓને અટકાવી દીધી છે અને આ ટાપુસીટીએ પાક અને ફીલીપીન્સની મદદથી વિમાની સેવા પણ હાલ સ્થગીત કરી છે.દુબઈએ પણ હવે ભારતથી આવતા પ્રવાસીઓને નિયંત્રીત કરવા નિર્ણય લીધો છે.જેમાં દુબઈ આવતા પ્રવાસીને કયુઆર કોડ લીંકઅપમાં વેકસીનેશનનો ઓરીજનલ રીપોર્ટ સાથે રાખવો જરૂરી બની ગયો છે અને તેનું કોલ બેકીંગ થશે.મુંબઈ અને દુબઈમાં વિશ્ર્વના સૌથી વ્યસ્ત વિમાની માર્ગમાં સ્થાન ધરાવે છે.