By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ભારતમાં 21 દિવસ લોકડાઉનઃ નિયમનો ભંગ કરનારને બે વર્ષ સુધીની જેલ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ભારતમાં 21 દિવસ લોકડાઉનઃ નિયમનો ભંગ કરનારને બે વર્ષ સુધીની જેલ
GeneralNational

ભારતમાં 21 દિવસ લોકડાઉનઃ નિયમનો ભંગ કરનારને બે વર્ષ સુધીની જેલ

HM News
Last updated: 25/03/2020 9:35 AM
HM News
5 years ago
Share
SHARE

એવી સ્થિત ન સર્જતા કે દેખો ત્યાં ઠાર કરવાના આદેશ આપવા પડેઃ તેલંગાણા CM
એજન્સી, નવી દિલ્હી

દેશભરમાં કોરોના વાયરસના કારણે લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું છે. આગામી 21 દિવસ સુધી સમગ્ર દેશમાં લોકોએ ઘરની અંદર જ રહેવું પડશે. જ્યાં સુધી અત્યંત જરૂરી કામ ન હોય ત્યાં સુધી ઘરની બહાર જવાનું ટાળવું. જો કોઈ જરૂરી કામ વગર પોતાના ઘરની બહાર જોવા મળશે તો તેને એક મહિનાથી બે વર્ષ સુધીની જેલની સજા સંભળાવવામાં આવી શકે છે. આ ઉપરાંત તેલંગાણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવે આકરા શબ્દોમાં ચેતવણી આપતા લોકોને કહ્યું કે જનતા એવી પરિસ્થિતિનું નિર્માણ ન કરે કે તેમને દેખતા જ ગોળી મારવાના આદેશ આપવા પડે.

21 દિવસના લોકડાઉન દરમિયાન નિયમ અને ગાઈડલાઈન્સનું પાલન નહીં કરનારા લોકો પર કલમ 51 અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે. જેમાં સજા અને દંડ બંનેની જોગવાઈ કરવામાં આવી છે. લોકડાઉનના નિયમોનો ભંગ કરનારા લોકોને 200 રૂપિયાનો દંડ અને એક મહિનાની સજાની જોગવાઈ કરવામાં આવી છે. પરંતુ જો આને કારણે કાયદાકીય વ્યવસ્થામાં કોઈ તકલીફ પડશે અને તોફાનની પરિસ્થિતનું સર્જન થશે તો આ સજાને છ મહિના સુધી વધારી દેવામાં આવશે. ઓર્ડરમાં કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ લોકડાઉનના આ નિયમોનું પાલન નહીં કરે અને તેને કારણે કોઈની તબિયત બગડશે અથવા તો કોઈનો જીવ જશે અને જો તે વ્યક્તિ દોષિત જાહેર થશે તો આ ગુનામાં તેને બે વર્ષની જેલની સજા થઈ શકે છે.

ગૃહ મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા ઓર્ડરમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ પણ વ્યક્તિ કોરોના વાયરસના મામલે કોઈ અફવા ફેલાવતો ઝડપાશે તો તેને એક વર્ષ સુધીની જેલ થઈ શકે છે. આ સાથે જ તેને દંડ પણ ચૂકવવો પડશે. તેમજ લોકોની મદદ માટે આપવામાં આવેલા ફંડમાં જો કોઈ કૌભાંડ સામે આવશે તો સરકારી અધિકારીઓને પર પણ આ જ નિયમો હેઠળ સજા કરવામાં આવશે. સરકારની ગાઈડલાઈનનું પાલન નહીં કરનાર કોર્પોરેટને પણ દંડ કરવામાં આવશે.

21 દિવસના લોકડાઉન પર તેલંગાણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવે કડક શબ્દોમાં ચેતવણી આપતા કહ્યું કે, જો લોકો લોકડાઉનના સમયે ઘરની બહાર નીકળશે તો તેમની પાસે તેમને દેખતા જ ઠાર કરવાના આદેશ આપ્યા વગર અન્ય કોઈ વિકલ્પ નહીં રહે. મીડિયા સાથે વાતચીત કરતા તેમણે કહ્યું કે જો લોકડાઉનના આદેશનો લોકો ભંગ કરશે તો મારે 24 કલાકમાં જ કરફ્યૂ લાદી દેવો પડશે. તેમણે તેલંગાણાની જનતાને અપીલ કરી કે મને એવું કરવા પર મજબૂર ન કરતા કે મારેી પાસે દેખતા જ ઠાર કરી દેવાના આદેશ આપ્યા વગર અન્ય કોઈ વિકલ્પ જ ન રહે.

ભારતના અધ્યક્ષપદે આયોજિત G20 શિખર સંમેલનમાં કયા મુદ્દા કેન્દ્રમાં રહેશે?
પ્રિમોન્સૂન કામગીરીના નામે નાગરિકોના ટેક્સના નાણાં પાણીમાં ગયા : કોંગ્રેસ
પાકિસ્તાનમાં હિંદુઓ ઉપર હુમલા : મહિલાનું ઓયૌન શોષણ થઇ રહ્યું છે
સિદ્ધુ મૂસેવાલા હત્યાકાંડ: લોરેન્સ બિશ્નોઈનો સાથી દિપક ચોથી વખત પોલીસ કસ્ટડીમાંથી ફરાર
ભારતીય શેરબજારમાં મેટલ અને રિયલ્ટી સેક્ટરની આગેવાની હેઠળ ૫૧૪ પોઈન્ટનો પ્રત્યાઘાતી ઉછાળો…!!
Share This Article
Facebook Email Print
Previous Article કોરોનાને રોકો: રૂપાણીએ ક્યા મહત્ત્વના 19 નિર્ણય લીધા…
Next Article કોરોનાને લઈ વિજય રૂપાણીની સરાહનીય જાહેરાત, 60 લાખ પરિવારને આપશે મફતમાં અનાજ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up