મહારાષ્ટ્રમાં છેલ્લા બે વર્ષમાં 200 હિંદુ યુવતીઓનું ધર્માંતરણ : મુસ્લિમ યુવાનોને મળે છે 5 લાખ ઇનામ : અનેક હિંદુઓને કરાવાઈ સુન્નત

HM News
3 Min Read

મુંબઈ, 13 જાન્યુઆરી 2023 શુક્રવાર : મહારાષ્ટ્ર રાજ્યના એક વિસ્તારમાંથી છેલ્લાં બે વર્ષમાં લગભગ 200 જેટલી હિંદુ યુવતીઓને ફસાવીને તેમનું ધર્માંતરણ કરાવવામાં આવ્યું હોવાની ચકચારી વિગતો સામે આવી છે.એટલું જ નહીં,આ યુવતીઓને ફસાવવા પર મુસ્લિમ યુવાનોને 4 થી 5 લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવતું હોવાનું તેમજ જે પરણિત મહિલાઓનું ધર્માંતરણ કરવામાં આવે તેના પતિને પણ ધર્માંતરણ કરવા માટે દબાણ કરવામાં આવતું હોવાનું અને બળજબરીથી સુન્નત કરવાવવામાં આવતું હોવાનું જાણવા મળ્યું છે.

ટાઈમ્સ નાઉના એક રિપોર્ટમાં આ બાબતો સામે આવી છે.ન્યૂઝ ચેનલે મહારાષ્ટ્રના દૌંડ વિસ્તારમાં તપાસ કરી હતી જેમાં આ તમામ વિગતો સામે આવી હતી.સ્થાનિકોએ વાતચીતમાં જણાવ્યું હતું કે કઈ રીતે તેમની ઉપર અત્યાચાર ગુજારવામાં આવે છે અને ડરના માર્યા કોઈ પણ હિંદુઓ અવાજ ઉઠાવી શકતા નથી.

સ્થાનિકો અનુસાર, વિસ્તારમાં 17-18 વર્ષની કે કોલેજમાં જતી યુવતીઓને બ્રેનવૉશ કરીને ફસાવવામાં આવતી હતી.તેમની ઉપર માનસિક ત્રાસ પણ ગુજારવામાં આવતો અને હેરાન કરી,મારઝૂડ પણ કરવામાં આવતી.તેમજ ભરચોકમાં હિંદુ યુવતીઓની છેડતી થઇ રહી અને આવા કિસ્સાઓ છાશવારે બનતા હોવા છતાં સ્થાનિક હિંદુઓ ડરના માર્યા કંઈ બોલી ન શકતા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

એક લવજેહાદ પીડિતાએ ચેનલ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, મારા મનમાં હતું કે આ યુવક હિંદુ છે તો મારો પરિવાર સ્વીકારી લેશે,કોઈ વાંધો નહીં આવે.પરંતુ કોર્ટના ડોક્યુમેન્ટ્સ સામે આવ્યા ત્યારે મને જાણવા મળ્યું કે એ છોકરો વાસ્તવમાં મુસ્લિમ છે.મને આઘાત લાગ્યો, મેં તેને પૂછ્યું કે તેણે મારી સાથે આવું કેમ કર્યું.તેની સાથે બીજા તેના મિત્રો હતા,પરંતુ હું તેમને જાણતી ન હતી.પછી તેણે મને કહ્યું કે તે મારા પરિવારને પણ સમજાવી દેશે અને સમગ્ર પ્લાનિંગ વિશે જણાવ્યું હતું.

એક સ્થાનિક વ્યક્તિએ ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું કે, અહીં ફારૂક કુરેશી,કુમેલ કુરેશી,ફરહાન કુરેશી,આસિફ કુરેશી અને અન્ય બે-ત્રણ જણા આ કૃત્યો આચરે છે પરંતુ તેમની સામે કોઈ કંઈ બોલી શકતું નથી.આ બધામાં કુમેલ કુરેશી મુખ્ય સૂત્રધાર હોવાનું પણ જણાવવામાં આવ્યું હતું.આ તમામને રાજકારણીઓનું પણ સમર્થન મળી રહેતું હોવાનું અને પોલીસ પણ તેમની સામે કંઈ પગલાં ન લઇ રહી હોવાનું સ્થાનિક હિંદુઓએ મીડિયાને જણાવ્યું હતું.

એક હિંદુ વ્યક્તિએ કેમેરા સામે જણાવ્યું હતું કે કઈ રીતે તેની પત્નીનું ધર્માંતરણ કરાવ્યા બાદ તેનું પણ બળજબરીથી સુન્નત કરાવી નાંખવામાં આવ્યું હતું.તેની પત્નીએ જણાવ્યું કે કુરેશીએ તેને ધમકી આપી હતી કે જો તેનો પતિ ધર્માંતરણ નહીં કરે તો તે તેને મારી નાંખશે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *