By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: મુખ્યમંત્રીના ટેન્યોરમાં મેં 5 લાખની આદિવાસી જનમેદની જોઇ નથી, મને ગર્વ છે : PM મોદી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Gandhinagar > મુખ્યમંત્રીના ટેન્યોરમાં મેં 5 લાખની આદિવાસી જનમેદની જોઇ નથી, મને ગર્વ છે : PM મોદી
GandhinagarGeneral

મુખ્યમંત્રીના ટેન્યોરમાં મેં 5 લાખની આદિવાસી જનમેદની જોઇ નથી, મને ગર્વ છે : PM મોદી

HM News
Last updated: 10/06/2022 9:26 AM
HM News
3 years ago
Share
SHARE

– વાંકદેખાઓને લાગે છે કે ચૂંટણી આવી એટલે મોદી દેખાય છે પરંતુ અમારે મન ચૂંટણી મહત્વની નથી, લોકોની સેવા મહત્વની છે : વડાપ્રધાન

ગાંધીનગર,તા. 10 જુન 2022,શુક્રવાર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવસારીમાં આદિવાસીઓની જંગી સભામાં ઉપસ્થિત રહી કહ્યું હતું કે પાછલા બે દશક ઉપરાંતના શાસનમાં માત્ર એક સપ્તાહ એવું શોધી બતાવો કે જેમાં વિકાસનું કોઇ કામ થયું ન હોય.તેમણે ખૂડવેલ ગામેથી ગુજરાત ગૌરવ અભિયાન અંતર્ગત 3050 કરોડના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ-ખાતમૂર્હત સંપન્ન કર્યા હતા.

નવસારીની સભામાં જનમેદની જોઇને મોદીએ કહ્યું હતું કે મારા મુખ્યમંત્રીના સમયગાળા દરમ્યાન મેં આદિવાસી વિસ્તારમાં આટલી મોટી જનમેદની ક્યારેય જોઇ નથી.મને ગર્વ થાય છે. આજે અહીંયા પાંચ લાખ લોકો એકત્ર થયાં છે તેનું મને ગર્વ છે.

વડાપ્રધાનની હાજરીમાં અસ્ટોલ જુથ પાણી પુરવઠા યોજના સહિત પાણી પુરવઠા યોજનાના 2259.82 કરોડના કામોના લોકાર્પણ-ખાતમૂહૂર્ત-ભૂમિપૂજન તેમજ નવસારી ખાતે 542.50 કરોડના ખર્ચે નિર્માણ થનારી નવી મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ખાતમૂહર્તની ભેટ સહિત માર્ગ-મકાન વિભાગ,ઊર્જા વિભાગ અને શહેરી વિકાસ વિભાગના જનહિત વિકાસ કામોની પણ ભેટ પણ ગુજરાતને મળી છે.

મોદીએ કહ્યું હતું કે ગુજરાતનું ગૌરવ પાછલા બે દશકમાં સૌના સાથ, સૌના વિકાસના પરિણામે ઉભી થયેલી નવી આકાંક્ષા-અપેક્ષાઓથી વધ્યું છે અને તેનો શ્રેય મુખ્યમંત્રીને જાય છે.આજે આદિવાસી વિસ્તારોમાં ત્રણ હજાર કરોડ કરતાં વધુના કામોનું ઉદ્દઘાટન થયું છે.આપણે ત્યાં કામ કરો એટલે કેટલાક લોકો ચાલુ પડી જાય છે અને કહે છે કે જોયું ચૂંટણી આવી એટલે કામ થાય છે.મને સરકારમાં 22 વર્ષ થયાં છે.કેટલાક વાંકદેખાઓને એવું લાગે છે કે ચૂંટણી આવી છે એટલે સરકાર કામ કરે છે. એસ્ટ્રોલ પાણી પુરવઠા યોજના હું 2018માં લઇને આવ્યો હતો.આજે મને ગર્વ છે કે આ પ્રોજેક્ટ પૂર્ણ થયો છે.

વડાપ્રધાને કહ્યું કે જો ચૂંટણી જીતવા કંઇ કરવાનું હોય તો 200 વોટ માટે આવી મગજમારી કોઇ ન કરે.અમે 200 માળ ઉપર સુધી પાણી પહોંચાડવાના છીએ અને તે પણ આટલી ઓછી સંખ્યા માટે આ કામ થયું છે.અમે ચૂંટણી જીતવા માટે આવતા નથી પણ લોકોની સેવા કરવા આવીએ છીએ.ચૂંટણી તો લોકો જીતાડતા હોય છે અને બેસતા હોઇએ છીએ.

કોરોનાનું કોકડું ઉકેલવા ટ્રમ્પ અમેરિકી નિષ્ણાંતોની ટીમ વુહાન મોકલવાની તૈયારીમાં
ઈડીની નોટિસથી તો લોકોનું પેન્ટ ભીનું થઈ જાય છે…કેજરીવાલ લીકર કૌભાંડ કેસ અંગે કેમ આવું બોલ્યા!
EPFO ટૂંકમાં કેન્દ્રીય સિસ્ટમથી 73 લાખને પેન્શનનું વિતરણ કરશે
બ્રિટન હાઈકોર્ટે ભાગેડુ વિજય માલ્યાનો આપ્યો મોટો ઝટકો, અરજી કરી રદ્દ
ઈન્ટરનેટની સ્પીડનો વર્લ્ડ રેકોર્ડ, સેકન્ડમાં 17.80 કરોડ મેગા બાઈટ ડેટા ડાઉનલોડ થયો, નેટફ્લિક્સની તમામ મૂવી એક સેકન્ડમાં ડાઉનલોડ
Share This Article
Facebook Email Print
Previous Article 15મી ઓક્ટોબરથી ગુજરાતમાં ચૂંટણીની આચાર સંહિતા લાગુ થશે
Next Article લગ્નને 8 વર્ષ થઇ ગયા પરંતુ અડવા પણ નથી દેતી, સાંસદે એક્ટ્રેસ પત્ની પર લગાવ્યો આરોપ, કોર્ટે કહ્યું…
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up