એ વાત જરાય અજાણી નથી કે પાટીલ અને રુપાણીને જરાય બનતું નથી.એ વાતના સંકેતો ટિકિટ વહેંચણીમાં પણ જોવા મળી હતી.હવે મંત્રી મંડળ પસંદગીમાં પણ જાણે રૃપાણીનો કચ્ચરઘાણ કાઢવાનો હોય એમ રાજકોટમાંથી કોઈને પસંદગી આપવામાં આવી નથી.જસદણના બાવળિયાને પસંદ કરાયા છે પરંતુ એ પહેલા મંત્રી રહી જ ચૂક્યા છે.વળી એમનું પોતાનું કદ છે અને ત્રેવડ પણ છે.રૃપાણી સરકાર વખતે જ પાટીલ પક્ષ પ્રમુખ બન્યા હતા.પરંતુ એમની વચ્ચે તાલમેલ ન હતો.
કોરોના વખતે જ રેમડેસિવિઅર ઈન્જેક્શનનો જથ્થો મેળવી પાટીલે સુપર સીએમ તરીકેની ધાક જમાવી દીધી હતી.રૃપાણીની ખુરશી ગઈ એ પછી પણ બન્ને વચ્ચે ખાસ સારપ જોવા મળી નથી.સૌરાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર વખતે પણ પાટીલને મળવા સૌ નેતાઓ સ્ટેજ પર આવ્યા ત્યારે રૃપાણીએ દૂર રહેવાનું પસંદ કર્યુ હતુ.રાજકોટમાંથી એક પણ મંત્રી નથી એ જોતા સ્પષ્ટ થાય છે કે પાટીલે રૃપાણીને કદ પ્રમાણે વેતરવામાં કંઈ બાકી નથી રાખ્યુ.વળી પાટીલે ગુજરાતમાં ભાજપને જંગી બહુમતી અપાવી છે એટલે હવે હાઈકમાન્ડ પણ પાટીલને ના કહી શકે એમ નથી.
રાજકોટ શહેરની કુલ ચાર બેઠકો છે જ્યારે જિલ્લાની મળીને આઠ બેઠક થાય છે.અગાઉ જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયા મંત્રી મંડળમાં હતા.એમને પણ કદ પ્રમાણે વેતરી નખાયા છે.એ પાટીલનો દબદબો સ્પષ્ટ દર્શાવે છે.


