By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: લદાખમાં પ્રવાસીઓના સ્વાસ્થ્યની સલામતી માટે એડવાઈઝરી બહાર પડાશે
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > લદાખમાં પ્રવાસીઓના સ્વાસ્થ્યની સલામતી માટે એડવાઈઝરી બહાર પડાશે
AhmedabadGeneral

લદાખમાં પ્રવાસીઓના સ્વાસ્થ્યની સલામતી માટે એડવાઈઝરી બહાર પડાશે

HM News
Last updated: 30/05/2022 7:18 AM
HM News
3 years ago
Share
SHARE

અમદાવાદ : લદાખમાં દર વર્ષે લાખો પ્રવાસીઓ ફરવા આવે છે ત્યારે હવે લદાખમાં આવતા પ્રવાસીઓના સ્વાસ્થ્યની સલામતી માટે ટૂરિઝમ ડિપાર્ટમેન્ટ દ્વારા એડવાઈઝરી બહાર પાડવામાં આવશે.જેમાં વિમાનથી લેહ આવતા પ્રવાસીઓ માટે 48 કલાક સ્ટે કરવાનો રહેશે ત્યારબાદ જ પ્રવાસી આગળ પ્રવાસ કરી શકશે.આ ઉપરાંત ટૂંક સમયમાં લદાખ ડેવલપમેન્ટ ઓથોરિટી ડેવલપમેન્ટ કાઉન્સિલ દ્વારા લેહ સહિતના સ્થળે કઈ કઈ હોટલમાં રૂમો ખાલી છે અને ટેક્સી સર્વિસ સહિતની તમામ માહિતી મળી શકશે.

લદાખ યુનિ.માં ગુજરાત સેન્ટરના ઉદ્દઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેલા લદાખના ચીફ એક્ઝિક્યુટિવ કાઉન્સિલર તાશી ગ્યાલસોંગે જણાવ્યું કે લદાખમાં ફરવા આવતા પ્રવાસીઓને ભૌગોલિક પરિસ્થિતિ વિશે પૂરતી જાણ હોતી નથી.ઊંચા પર્વતો,સ્નો ફોલ,અસહ્ય ઠંડી વગેરેને લીધે અહીં ફરવા આવતા પ્રવાસીઓને શ્વાસની તકલીફ,માથાનો દુખાવો સહિતની અનેક શારીરિક તકલીફો થતી હોય છે.પ્રવાસીઓએ અહીં આવ્યા બાદ બેથી ત્રણ દિવસ સ્ટે કરીને અહીંના વાતાવરણ સાથે સેટ થવું પડતું હોય છે.ઉપરાંત,અહીં ટેક્સી ન મળવાથી માંડી ઘણી મુશ્કેલી પ્રવાસીઓને પડે છે.આ તમામ બાબતોને ધ્યાને રાખતા ટૂરિઝમ ડિપાર્ટમેન્ટ દ્વારા એડવાઈઝરી બહાર પાડવામાં આવશે.

જેમાં પ્રવાસીઓએ શું ધ્યાન રાખવું,શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તેમજ લેહ સહિતના તમામ ટૂરિસ્ટ પોઈન્ટ પર હોટલોમાં કેટલા રૂમ ખાલી છે તે સહિતની માહિતી ઓનલાઈન મળી રહેશે.ચીફ એક્ઝિક્યુટિવ કાઉન્સિલર તાશીએ વધુમાં જણાવ્યું કે અહીં પ્રવાસીઓ વધી રહ્યા છે અને ગ્લેશિયર પીગળવાની ઘટનાઓ બની રહી છે ત્યારે આ માટે લાંબા ગાળાનું આયોજન અમે કરી રહ્યા છે.આ વર્ષે પ્રવાસીઓની સંખ્યામાં ભારે ધસારો જોવા મળ્યો છે.હોટલો અને ટેક્સી ન મળવાથી મુશ્કેલી પડી છે.આ વર્ષની સિઝનમાં છેલ્લા થોડા સમયમાં જ પર્વતો પર ફરવા જવાને લીધે આઠ પ્રવાસીના મૃત્યુ થયા હતા.લદાખમાં 11,500થી વધુની ઊંચાઈ ધરાવતા ઊંચા પર્વતોને લીધે ઓક્સિજનની ખૂબ જ સમસ્યા છે.જેના કારણે જ અમે એડવાઈઝરી તૈયાર કરવાનું આયોજન કરી રહ્યા છે.

દેશની કંપનીઓ લોકડાઉનના વિચારની વિરૂધ્ધમાં
કોરોના સુરત LIVE:પોઝિટિવ કેસનો આંક 51408 પર પહોંચ્યો,મૃત્યુઆંક 1135 અને કુલ 49624 દર્દી રિકવર થયા
અમદાવાદમાં આજે 23, વડોદરામાં 4, આણંદમાં 2 નવા કેસ,એક વ્યક્તિનું કોરોનાથી મોત
બારડોલી નગરપાલિકાની સામાન્ય સભા યોજાઇ :નગરવાસીઓ પર 1 ટકા જેટલો વાહન વેરો ઝીંકવામાં આવ્યો
હોલી ડે : આ અઠવાડિયામાં લગાતાર ત્રણ દિવસ બંધ રહશે બેંકો, જાણી લો તારીખ
Share This Article
Facebook Email Print
Previous Article પત્નીને આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપનાર પતિની જામીન અરજી રદ
Next Article 1 મહિનામાં બાયપાસના દર્દીને રિકવર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up