By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: લોકલાગણીને ધ્યાને લઇ 15 ઑગસ્ટએ સ્ટેટ્યૂ ઓફ યુનિટી ખુલ્લુ રખાશે
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Bharuch-Ankleshwar-Narmada > લોકલાગણીને ધ્યાને લઇ 15 ઑગસ્ટએ સ્ટેટ્યૂ ઓફ યુનિટી ખુલ્લુ રખાશે
Bharuch-Ankleshwar-NarmadaGeneral

લોકલાગણીને ધ્યાને લઇ 15 ઑગસ્ટએ સ્ટેટ્યૂ ઓફ યુનિટી ખુલ્લુ રખાશે

HM News
Last updated: 01/08/2022 12:48 PM
HM News
3 years ago
Share
SHARE

– પબ્લિક ડિમાન્ડ 15 ઓગસ્ટ સોમવારે પ્રવાસીઓની માંગણી અને લાગણીને લઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખુલ્લું રહેશે
– શનિ,રવિ અને સોમ વિકેન્ડમાં SOU ઉપર એક લાખ લોકો ઉમટવાનો અંદાજ

સ્ટેચ્યુ ઓફ યુનિટી પર 15 ઓગસ્ટ પ્રવાસીઓની લાગણી અને માંગણીને ધ્યાને લઇ સોમવારે SOU ખુલ્લું રાખવાનો નિર્ણય લેવાયો છે.જેના બદલે મંગળવારે પતેતીએ તમામ સ્થળો બંધ રહેશે. SOU સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સંલગ્ન તમામ પર્યટન સ્થળો એ 15 ઓગસ્ટ સોમવાર 75માં સ્વતંત્રતા પર્વે પ્રવાસીઓને પ્રવેશ અપાશે.જ્યારે 16 ઓગસ્ટ મંગળવારનાં રોજ તમામ સ્થળોએ રજા રહેશે.

પ્રવાસીઓની લાગણી અને માંગણીને ધ્યાને લઇને મુખ્ય વહીવટદાર કચેરી,સ્ટેચ્યુ ઓફ યુનિટી દ્રારા મહત્વનો નિર્ણય લેવાયો છે. SOU ખાતે દર સોમવારે સાપ્તાહિક મરામત કાર્ય હાથ ધરાય છે,જેથી તે દિવસે પ્રવાસીઓને પ્રવેશ આપવામાં આવતો નથી. જોકે પબ્લિક ડિમાન્ડ ઉપર 15 ઓગસ્ટએ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સંલગ્ન તમામ પ્રોજેક્ટ ચાલુ રાખવાની જાહેરાત કરવામાં આવે છે.તેનાં બદલે 16 ઓગસ્ટ મંગળવાર નાં રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સંલગ્ન તમામ પ્રવાસીય સ્થળોએ જાહેર રજા રહેશે.

આગામી 15 ઓગસ્ટ સોમવારનાં રોજ સાપ્તાહિક અવકાશને મોકુફ રાખીને પ્રવાસીઓને પ્રવેશ આપવાનો નિર્ણય SOUADTGA તરફથી લેવામાં આવ્યો છે.તેના બદલે 16 ઓગસ્ટ મંગળવારનાં રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સંલગ્ન પ્રવાસીય પ્રોજેકટ પર જાહેર રજા રહેશે.આ વખતે લોકોને શનિ,રવિ સાથે 15 ઓગસ્ટની 3 દિવસ વિકેન્ડ રજા મળતી હોવાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી,તેને સંલગ્ન અન્ય પ્રોજેક્ટો,નર્મદા ડેમ સહિતના આકર્ષણો નિહાળવા એક લાખથી વધુ પ્રવાસીઓ ઉમટી પડવાની ધારણા વ્યક્ત કરવામાં આવી રહી છે.

કોઇ પણ પ્રકારની પૂછપરછ માટે ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર 1800 233 6600 પર સવારે 8 થી સાંજનાં 6 દરમ્યાન (સોમવાર સિવાય) સંપર્ક કરી શકાશે તેમ જણાવાયું છે.ઓનલાઇન ટિકીટ બુક કરાવવા માટે www.soutickets.in અને એન્ડ્રોઇડ એપ્લીકેશન statue of unity tickets (official)નો ઉપયોગ કરીને પણ ટિકીટ બૂક કરાવી શકાશે,તેમ અધિક કલેકટર,સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ,કેવડીયા તરફથી જાહેરાત કરાઈ છે.

દિલ્હીમાં કોરોનાનો કેર ફરી શરું ? 24 કલાકમાં 1,204 નવા કેસ : પોઝિટિવીટી 4.64%થી ઉપર
સુજોય ઘોષના ડિરેક્શનમાં બનનારી Netflix ફિલ્મ સાથે OTT ડેબ્યુ માટે તૈયાર છે કરીના કપૂર ખાન
સુરતમા પવન સાથે વરસાદને લીધે 17 વૃક્ષ ધરાશાયી થયા
ગુજરાતમાં કોંગ્રેસ ગરીબ થઇ ગઈ ! 175માંથી 55 બેઠકો પર સમેટાઈ જતાં ફીંડલું વળી ગયું
રામ મંદિર ટ્રસ્ટમાં સ્થાન ન મળતાં નિર્માણ અખાડાની PMOને નોટિસ
Share This Article
Facebook Email Print
Previous Article NIA અને ગુજરાત ATS ના સતત બીજા દિવસે પણ સુરતમાં ધામા, શકમંદ યુવકની પૂછપરછ જારી
Next Article નર્મદામાં કેન્દ્રીય મંત્રાલયની ટીમના ધામા, અતિવૃષ્ટિના અસરગ્રસ્ત ખેડૂતો-ગામલોકો સાથે કર્યો સંવાદ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up