[weather_data]
Breaking News
TRENDING NEWS

વધતા નવા કેસ : ગુજરાતમાં બેડ-ઓકિસજન માટે ‘કટોકટી’ જેવી હાલત

[updated_date] [post_views]

Table of Content

અમદાવાદ તા.20 : ગુજરાતમાં કોરોના સંક્રમણમાં કોઈ રાહત નથી નવા કેસ તથા ડીસ્ચાર્જ થતા દર્દીઓ વચ્ચેનું આંકડાકીય અંતર વધવા લાગ્યુ છે.પરીણામે હોસ્પીટલમાં બેડ મેળવવાથી માંડીને ઓકિસજનની વ્યવસ્થા કરવાની રઝળપાટ સતત વધતી રહી છે.ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં સર્વાધિક 11403 નવા કેસ નોંધાયા હતા. છેલ્લા ઘણા દિવસોથી નવા કેસોનો રાફડો છે અને તે આંકડો સતત વધી રહ્યો છે.આ પરિસ્થિતિમાં કોવીડ હોસ્પીટલોમાં બેડ મેળવવા માટે દર્દીઓની લાઈન સતત વધી રહી છે.

કોરોના સંક્રમિત થતા નવા દર્દીઓને ઓકિસજનની વધુ જરૂર પડતી હોવાનુૂં ખુલ્લુ પડી જ રહ્યું છે.કોવિડ હોસ્પીટલમાં બેડ ઉપલબ્ધ નથી.વારો આવવાની રાહ જોતા સંખ્યાબંધ દર્દીઓને પોતાના ખાનગી વાહનો અથવા એમ્બ્યુલન્સમાં જ ઓકિસજનનો સપોર્ટ આપવાની ફરજ પડી રહી છે.નિષ્ણાંતોનું એવુ કથન છે કે નવા દર્દીઓની વધતી સંખ્યા તથા સાજા-ડીસ્ચાર્જ દર્દીઓની ઓછી સંખ્યાને કારણે રાજયનાં લગભગ તમામ શહેરોમાં સરકારી તથા ખાનગી હોસ્પીટલોમાં બેડની કટોકટી જેવી હાલત છે. દર્દીઓને હોસ્પીટલમાં કયાંય બેડ મળતા નથી.ઓકિસજનમાં પણ સમાન હાલત છે બન્ને માટે લોકોને રઝળપાટ કરવી પડી રહી છે.સરકારી રિપોર્ટ પ્રમાણે સમગ્ર ગુજરાતમાં સોમવાર સાંજની સ્થિતિએ 88 ટકા બેડ ભરાયેલા હતા.અમદાવાદમાં 160 જેટલી હોસ્પીટલોનાં 5578 અર્થાત 97 ટકા બેડ ભરાયેલા હતા.આઈસીયુ અથવા વેન્ટીલેટર ધરાવતા માત્ર પાંચ બેડ ખાલી હતા.

આરોગ્ય નિષ્ણાંતો એવી લાલબતી ધરવા લાગ્યો છે કે કોરોનાના નવા કેસોનો વૃધ્ધિદર યથાવત રહેવાના સંજોગોમાં ગમે તેટલા નવા બેડ ઉભા કરવામાં આવે તલો તે ઓછા પડશે.છેલ્લા એક સપ્તાહની ગણતરી કરવામાં આવે તો ડીસ્ચાર્જ રેશીયો માત્ર 38 ટકા છે.અર્થાત નવા દાખલ થતાં 100 માંથી માત્ર 38 દર્દી સાજા થઈને ડીસ્ચાર્જ થઈ રહ્યા છે.

નવા 1000 બેડ ઉભા થાય તો પણ રાતોરાત ભરાય જાય તેમ છે.અત્યારના સમયમાં કોરોનાના વધુને વધુ સંક્રમિતોને ઓળખવા પડે તેમ છે.અન્યથા તેઓ સંક્રમણ ફેલાવતા રહેશે. હોસ્પીટલોમાં જગ્યા નથી ત્યારે લોકોને ઘેર જ સારવાર આપતી સુવિધા વધુ મજબુત કરવી પડશે. અન્યથા હળવા-લક્ષણ હોવા છતા યોગ્ય તબીબી સારવાર નહી મળવાથી દર્દીઓની હાલત ગંભીર થતર જશે.

હોસ્પીટલનાં તબીબોએ એમ કહ્યું હતું કે રેમડેસીવીર આપવા સાથે ઓકિસજન લેવલ સ્થિર થઈ જવા સાથે પાંચમાં કે છઠ્ઠા દિવસે જ હોસ્પીટલમાં દર્દીઓને રજા આપવાનું શરૂ કરવામાં આવ્યુંં છે તબીયત સ્થિર હોય તેવા દર્દાઓ હોમ આઈસોલેટ થાય તે જરૂરી છે.ખાનગી તબીબો-હોસ્પીટલો હોમ-કેર પેકેજ આપે જ છે સરકાર દ્વારા અપાતી આ સુવિધા પણ મજબુત કરવી પડે તેમ છે.

Leave a Reply

Your email address will not be published.

Recent Posts

Related Articles