By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: વર્તમાન પ્રભારી અને સ્ટે.કમિટી ચેરમેન પણ એએમટીએસમાં દખલગીરી કરતા નથી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > વર્તમાન પ્રભારી અને સ્ટે.કમિટી ચેરમેન પણ એએમટીએસમાં દખલગીરી કરતા નથી
AhmedabadGeneral

વર્તમાન પ્રભારી અને સ્ટે.કમિટી ચેરમેન પણ એએમટીએસમાં દખલગીરી કરતા નથી

HM News
Last updated: 16/06/2022 5:51 AM
HM News
3 years ago
Share
SHARE

અમદાવાદ : એકસમયે શહેરીજનો માટે શ્રેષ્ઠ બસ સેવા ગણાતી એએમટીએસની હાલત સાવ કફોડી અને પ્રતિષ્ઠા તળિયે ગઇ છે,ત્યારે યુવાવર્ગને આકર્ષવાનાં નામે ડિજિટલાઇઝેશન અને પેટીએમ વગેરે દાવા કરનારા ભાજપનાં વર્તમાન હોદ્દેદારોનાં ગેરવહીવટના કારણે ઓટોમેટિક ટિકિટિંગ મશીન અને ટિકિટ રોલ પાછળ લાખોનો ખર્ચો કરાયા પછી પણ એક કરોડ ટિકિટ છપાવવાનો ઓર્ડર આપી દેવામાં આવ્યો છે.

કરોડોની ખોટમાં ચાલતી એએમટીએસને દેવામાંથી બહાર કાઢવાને બદલે હજુ પણ ખાનગી ઓપરેટરોનાં લાભાર્થે જ ચલાવવામાં આવતી હોય તેવો ઘાટ સર્જાયો છે.વર્તમાન પ્રભારી ધર્મેન્દ્રભાઇ શાહ તેમજ સ્ટે.કમિટી ચેરમેન હિતેષભાઇ બારોટ પણ કોઇ અકળ કારણોસર એએમટીએસના વહીવટમાં દખલગીરી કરતા નથી,જયારે પૂર્વ કોર્પોરેટર વલ્લભભાઇ પટેલને એએમટીએસનાં ચેરમેન બનાવવાથી કોઇ ફાયદો થયો નથી તે વાત ભાજપના સૌ કોઇ જાણે છે.તેમની સરખામણીએ અગાઉનાં બે ચેરમેન ચંદ્રપ્રકાશ દવે અને અતુલ ભાવસારની કામગીરી વધુ પ્રશંસનીય હતી તેમ ભાજપનાં આગેવાનો પણ સ્વીકારી રહ્યાં છે.

એએમટીએસમાં જૂના ટિકિટ બોક્સ અને પંચીગનો અવાજ બંધ કરી આધુનિકતા અને ડિજિટલાઇઝેશનની વાતો કરીને ઓટોમેટિક ટિકિટ મશીન તથા તેનાં રોલ પાછળ લાખોનો ખર્ચો કર્યા બાદ હાલમાં સંખ્યાબંધ મશીનો બંધ પડ્યા હોવાની અને રોલ પણ ધૂળ ખાતા હોવાની માહિતી આપતાં એએમટીએસના સૂત્રોએ કહ્યું કે,કેટલીય બસોમાં કંડકટરો જૂના ટિકિટ બોક્સ અને પંચીગનો ઉપયોગ કરતાં થઇ ગયાં છે.એટલું જ નહિ પેટીએમની વાતો કરનારા એએમટીએસના હોદ્દેદારોએ મનપસંદ પ્રવાસ યોજનાની એક કરોડ ટિકિટ છપાવવાનો ઓર્ડર આપવાની દરખાસ્ત પણ મંજૂર કરી નાખી છે.

સૌરાષ્ટ્રવાસીઓ પર રૂપાણી સરકાર વરસી, સુરતથી ઘરે જવા મળી શકે છે પરમીશન પણ આ રહેશે શરતો
કેન્દ્રિય પ્રધાન દેવશ્રી ચૌધરીનો ચોંકાવનારો આક્ષેપ,બંગાળને ઇસ્લામિક રાજય બનાવવા માગે છે મમતા
જપ્ત વિદેશી દારૃ નાળામાં ઠાલવતાં પહેલાં પ્રદૂષણ કન્ટ્રોલ બોર્ડની પરવાનગી લોઃ હાઈકોર્ટ
તબલીગી જમાતનાં મૌલાના સાદને ક્રાઇમ બ્રાન્ચે પ્રશ્ન પુછ્યા તો અટપટો જવાબ આપતા કહ્યું કે…
ભારતમાં ફેબ્રુઆરીથી અમેરિકા વિઝા આપવાની કામગીરી શરૂ કરાશે
Share This Article
Facebook Email Print
Previous Article મચ્છરઃ ફોગિંગ અને દવા છંટકાવમાં ગોટાળા છતાં 6 કરોડનો ધુમાડો કરાશે
Next Article રથયાત્રાને લઇ અમદાવાદ પોલીસ સજ્જ, ક્રાઇમ બ્રાંચનું ફુટ પેટ્રોલિંગ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up