વાઇબ્રન્ટ ગુજરાતના કૃષિ ખાતામાં 300 કરોડનું વાઇબ્રન્ટ કૌભાંડ : મનીષ ભારદ્વાજની બદલી

HM News
1 Min Read

– મોડી રાત્રે જીએસએફસીના એમડી મુકેશ પુરીને કૃષિ અને સહકારમાં નિયુક્ત કર્યા

ગાંધીનગર : ગુજરાતના કૃષિ વિભાગમાં 300 કરોડોના કૌભાંડમાં ગુજરાત એગ્રોના પૂર્વ એમડી અને આઇએફએસ એસકે રંધાવાને સસ્પેન્ડ કર્યા પછી રાજ્ય સરકારે કૃષિ અને સહકાર વિભાગના અગ્રસચિવ મનીષ ભારદ્વાજની તાત્કાલિક અસરથી બદલી કરી છે અને તેમના સ્થાને જીએસએફસીના એમડી મુકેશ પુરીને અધિક મુખ્યસચિવ પદે મૂક્યા છે.જો તે તેમને જીએસએફસીનો વધારાનો ચાર્જ આપવામાં આવ્યો છે.

એસ.કે રંધવા જ્યારે ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનના એમડી હતા ત્યારે તેમની સામે ગેરરિતીના આરોપ મૂકાયા હતા.સસ્પેન્સશનનો આદેશ લાગુ રહે ત્યાં સુધી રંધાવાનું હેડક્વાર્ટર ગાંધીનગર રહેશે.આ મામલે અગાઉ એજીએમ અભય જૈન અને આસિસ્ટન્ટ મેનેજર શૈલેષ પરમારને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.મનીષ ભારદ્વાજને સાઇડલાઇન પોસ્ટ પર ટ્રાન્સફર કર્યા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર કૃષિ વિભાગ અને ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનમાં વેધર સ્ટેશન સ્થાપવાના ટેન્ડરિંગ,આઇટી કોન્ટ્રાક્ટમાં ભારે ભ્રષ્ટાચાર અને અનેક ગેરરીતિઓ આચરવામાં આવી છે.રાજ્ય સરકાર માટે આ મોટી શરમજનક બાબત છે. ભ્રષ્ટાચાર અને ખંડણીના આરોપમાં રાજકોટ પોલીસ કમિશનરને હટાવ્યા બાદ હવે અગ્ર સચિવને મોડીરાત્રે હટાવવા પડયા છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *