– પોલીસની મદદથી અત્યાર સુધી 10 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા
– પોલીસ ટીમ આ નંબરો પણ ટ્રેસ કરવાનો પ્રયાસ કરી રહી છે
ગાઝિયાબાદ પોલીસને ધર્મ પરિવર્તન કેસમાં ઘણી મહત્વની માહિતી મળી રહી છે.પોલીસને તપાસમાં જાણવા મળ્યું છે કે ધર્માંતરણના કોન્ટ્રાક્ટરોએ મહારાષ્ટ્રના મુંબ્રામાં 400 લોકોનું ધર્માતરણ કરાવ્યું છે.પોલીસના જણાવ્યા અનુસાર એક દિવસ પહેલા ગુજરાતમાંથી એક ફોન કોલ આવ્યો હતો અને ફોન કરનારે જણાવ્યું કે આ લોકોએ મુંબ્રા ધર્માંતરણનું મોટું રેકેટ ફેલાવ્યું છે.લગભગ 400 લોકોએ તેમની જાળમાં ફસાઈને પોતાનો ધર્મ બદલી નાખ્યો છે.
આ એક મોટું ધર્માંતરણનું રેકેટ હોઈ શકે
પોલીસના જણાવ્યા અનુસાર કેટલીક મહત્વપૂર્ણ માહિતી આપનાર વ્યક્તિએ કેટલાક નંબરો પણ શેર કર્યા છે જે નંબરોથી વાતચીત થતી હતી.પોલીસ ટીમ આ નંબરો પણ ટ્રેસ કરવાનો પ્રયાસ કરી રહી છે.પોલીસનું કહેવું છે કે આ એક મોટું ધર્માંતરણનું રેકેટ હોઈ શકે છે જો કે સાયબર સેલ,એટીએસ સહિતની ઘણી એજન્સીઓ આ આંકડાઓની સત્યતા જાણવા માટે કામ કરી રહી છે.પોલીસે ધર્માંતરણના આરોપી એક મૌલવીની ધરપકડ કરી છે જ્યારે તેનો સિન્ડિકેટ શાહનવાઝ ઉર્ફે બદ્દો હજુ પણ ફરાર છે. પોલીસ શાહનવાઝની કોલ ડિટેઈલ મેળળવાનો પ્રયાસ કરી રહી છે.ગાઝિયાબાદ પોલીસ થાણે પોલીસની મદદથી અત્યાર સુધી 10 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે પરંતુ શાહનવાઝ વારંવાર પોલીસને ચકમો આપી રહ્યો છે.
હિંદુ છોકરાઓને નિશાન બનાવતા હતા
પોલીસને તપાસમાં ખબર પડી કે તે બિન-મુસ્લિમ સગીર છોકરાઓનું હિન્દુ નામથી ધર્માંતરણ કરતો હતો.આ માટે તેણે હિન્દુના નામે અનેક ફેક આઈડી પણ બનાવ્યા હતા.પોલીસને તપાસમાં જાણવા મળ્યું છે કે અત્યાર સુધીમાં ચાર નહીં પરંતુ પાંચ લોકોનું ધર્માંતરણ થયું છે.સૌથી મહત્વની વાત એ છે કે આરોપીઓ સગીર બાળકોને નિશાન બનાવીને તેમનું ધર્મપરિવર્તન કરાવી રહ્યો છે.આરોપી શાહનવાઝ ઉર્ફે બદ્દોએ કેટલાક મુસ્લિમ છોકરાઓની ટીમ બનાવીને હિંદુ સગીર છોકરાઓને ખૂબ જ ચાલાકીથી ફસાવવામાં આવતા હતા.આ લોકો ઓનલાઈન ગેમિંગ એપમાં હિંદુ તરીકે જોડાતા હતા અને હિંદુ છોકરાઓને નિશાન બનાવતા હતા.જોકે શાહનવાઝને મૌલવી અબ્દુલ રહેમાનની ધરપકડની જાણ થતાં જ તે મુંબ્રાથી ભાગી ગયો હતો. હવે પોલીસને શંકા છે કે તેના દ્વારા ક્યાંક 400 લોકોનો ધર્મ પરિવર્તન કરવામાં આવ્યો છે.