અમદાવાદ
છેલ્લા બે મહિનાથી કેપિટલ માર્કેટમાં કોરોનાને કારણે ભારે ક્રાઇસિસ ઊભી થઈ છે.આમાં મ્યુચ્યુઅલ ફંડની વિવિધ યોજનાઓ પણ સપાટામાં આવી ગઈ હતી.પંરતુ આ ક્રાઇસિસ વચ્ચે કેટલીક યોજનાઓમાં પોઝિટીવ ગ્રોથ પણ જોવાયો છે.ખાસ કરીને વેલ્યૂ ડિસ્કવરી યોજનાઓનો આમાં ઉલ્લેખ કરી શકાય.છેલ્લા એક મહિનામાં આ ફંડોમાં 13 ટકાનું પોઝિટીવ વળતર જોવાયું છે.આના ઉદાહરણ તરીકે આઇસીઆઇસીઆઈ પ્રૂડન્સિયલ વેલ્યૂ ડિસ્કવરી ફંડને જોઇએ તો એપ્રિલમાં અત્યાર સુધીમાં 13 ટકાનું પોઝિટીવ રિટર્ન જોવાયું છે.જ્યારે આદિત્યા બિરલા સન્લાઇફ પ્યોર વેલ્યૂમાં 11.61 ટકા અને એચડીએફસી કેપિટલ બિલ્ડર વેલ્યૂ ફંડમાં 10.39 ટકાનું વળતર છૂટ્યું છે.આઈ પ્રૂના પોર્ટફોલિયોને ધ્યાનમાં લઇએ તો તેનું મુખ્યત્વે રોકાણ સન ફાર્મા, ભારતી એરટેલ,ઇન્ફોસિસ,એનટીપીસી,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા જેવી કંપનીઓમાં હતું.
જો આ ફંડમાં એસઆઇપીથી કરેલા રોકાણને ધ્યાનમાં લઇએ તો પાંચ વર્ષમાં માસિક એસઆઇપી રોલિંગ રિટર્નના આધારે સરેરાશ 19 ટકા જોવાયું છે. જ્યારે 2005ના વર્ષની ચક્રવૃદ્ધિ દરે ધ્યાનમાં લઇને વળતર જોવામાં આવે તો 16.3 ટકાનું રહ્યું છે. એનો અર્થ એવો થયો કે જો કોઈ રોકાણકારે આઇપ્રૂમાં રૂ.10 લાખનું રોકાણ કર્યું હોય તેને વર્તમાન વેલ્યૂ રૂ.77.7 લાખ રહે છે. જ્યારે તેની સામે બેન્ચમાર્ક નિફ્ટી 500 ટીઆરઆઈ વેલ્યૂમાં વળતર રૂ.34.6 લાખની થાય છે.