– નાલંદા જિલ્લાના કરાયપરસુરાય પ્રખંડમાં વૃદ્ધ મહિલા કૌશલ્યા દેવી અને તેમની આઠ વર્ષની પૌત્રી શૌચાલયમાં રહેવા મજબૂર
– શૌચાલયમાં રહેવા માટે મજબૂર છે દાદી-પૌત્રી
ગરીબોના મસીહા જેવા ઉપનામથી સંબોધવામાં આવતા મુખ્યમંત્રી નીતીશ કુમારના ગૃહ જિલ્લા નાલંદામાંથી એક એવી તસ્વીર સામે આવી છે જે વિકાસના કોઈ પણ પ્રકારના ભ્રમ અને દાવાને તોડી નાખશે. કરાયપરસુરાય પ્રખંડ જિલ્લામાં વૃદ્ધ મહિલા કૌશલ્યા દેવી અને તેમની પૌત્રીને એક ઘર પણ નસીબ નથી.પરિસ્થિતિ એટલી ખરાબ છે કે ધોમધખતા તાપથી રક્ષણ મેળવવા માટે દાદી અને પૌત્રી એક સાર્વજનિક શૌચાલયમાં દિવસો પસાર કરી રહ્યા છે.
ચોંકાવનારી વાતતો એ છે કે શૌચાલયમાં દિવસો પસાર કરતા કૌશલ્યા દેવી એ જિલ્લામાં રહે છે જ્યાંથી નીતિશ સરકારની લગભગ દરેક યોજનાઓનો શ્રીગણેશ થાય છે.નાલંદાની વિકાસ ગાથાને આખા રાજ્ય સામે મોડલના રૂપમાં રજૂ કરવામાં આવે છે. સીએમ નીતિશે કલ્યાણ બિગહા વાળા પોતાના ખાનદાની ઘરમાં એવું કહીને વિજળીનું કનેક્શન નથી લગાવ્યું કે જ્યારે બિહારનું દરેક ઘર રોશન થશે ત્યારે જ તે પોતાના એ ઘરમાં વિજળીનું કનેક્શન નખાવશે.હવે સવાલ એ ઉઠે છે કે સીએમની કહેલી આ વાતને નાલંદા જિલ્લાના ઓફિસરો અને અધિકારીઓએ ગંભીરતાથી લીધી પણ છે કે નહીં? ત્યારે જ તો તેમને કૌશલ્યા દેવીનું અંધકારથી ભરેલું જીવન દેખાઈ નથી રહ્યું.
ભીખ માંગીને ગુજરાન ચલાવી રહ્યા છે દાદી-પૌત્રી
દાદી પૌત્રી શૌચાલયમાં રહેવા પર મજબૂર છે.અને તે પોતાનું ગુજરાન ભીખ માંગીને ચલાવી રહ્યા છે.પૌત્રી પરથી માતા-પિતાનો હાથ પહેલા જ ઉઠી ચુક્યો છે.બને ગામમાં ઘરે ઘરે જઈને ભોજન માંગીને ખાય છે.કૌશલ્યા દેવીએ જણાવ્યું કે પરિવારના કમાઉ સદસ્યના ન રહેવાના કારણે તેમને મજબૂરીમાં ભીખ માંગવી પડી રહી છે અને તડકાથી બચવા માટે તે શૌચાલયમાં રહે છે.ગામના પૂર્વ સરપંચ રબીશ કુમારે જણાવ્યું કે 2017માં આવાસ યોજનામાં કૌશલ્યા દેવીનું નામ આવ્યું હતું.ત્યારે તે લાભ આપવા માટે તેમની પાસેથી મોટી રકમ લાંચમાં માંગવામાં આવી હતી.ગરબી કૌશલ્યા દેવી પાસે પૌસા ન હતા.માટે તેમનું નામ લિસ્ટમાંથી કાઢી નાખવામાં આવ્યું.કૌશલ્યા દેવી 75 વર્ષના છે અને તેમની પૌત્રી ફક્ત 8 વર્ષની છે.