By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સચિન પાયલટનો સુભાષ ચંદ્રા પર પલટવાર : ‘રાજકારણ કોઈ ટીવી સીરિયલ નથી’
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > સચિન પાયલટનો સુભાષ ચંદ્રા પર પલટવાર : ‘રાજકારણ કોઈ ટીવી સીરિયલ નથી’
GeneralNational

સચિન પાયલટનો સુભાષ ચંદ્રા પર પલટવાર : ‘રાજકારણ કોઈ ટીવી સીરિયલ નથી’

HM News
Last updated: 08/06/2022 7:32 AM
HM News
3 years ago
Share
SHARE

નવી દિલ્હી : તા.08 જૂન 2022 બુધવાર : રાજસ્થાનમાં રાજ્યસભા ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયુ છે.આ દરમિયાન,નિર્દળીય ઉમેદવાર સુભાષ ચંદ્રાએ પોતાની જીતનો દાવો કરતા કહ્યુ કે આઠ ધારાસભ્ય ક્રૉસ વોટિંગ કરશે અને ચાર ધારાસભ્ય તેમનુ સમર્થન કરી રહ્યા છે.તેમણે કહ્યુ કે કોંગ્રેસના ધારાસભ્ય પણ ક્રોસ વોટિંગ કરશે.હવે સુભાષ ચંદ્રાના આ દાવા પર કોંગ્રેસ નેતા સચિન પાયલટે પોતાની પ્રતિક્રિયા આપી છે.તેમણે સુભાષ ચંદ્રાના આ નિવેદનને હાસ્યાસ્પદ કરાર આપતા સમગ્ર રીતે ફગાવ્યુ છે.

સચિન પાયલટે કહ્યુ કે અમને 110% વિશ્વાસ છે,અમારા ત્રણેય ઉમેદવાર જીતશે.અમારે જે સંખ્યા જોઈએ જીતવા માટે,હાલ અમારે તેનાથી વધારે ધારાસભ્યોનુ સમર્થન મળ્યુ છે.આપણે નિર્દળીય અને રીઝનલ પાર્ટીના ધારાસભ્યનુ સમર્થન મળ્યુ છે.સૌના ધારાસભ્યોએ અમને સમર્થન આપ્યુ છે.એવામાં કોઈએ ગેરસમજ રાખવી જોઈએ નહીં કે તેઓ ક્રોસ વોટિંગ કરીને ચૂંટણી જીતી શકે છે.હકીકતમાં તેઓ માત્ર મૂંઝવણ પેદા કરી રહ્યા છે કેમ કે ભાજપની પાસે એટલા ધારાસભ્ય નથી.તે ઘણા હતાશ થશે.

સચિન પાયલટે કહ્યુ કે ચૂંટણીના ત્રણ દિવસ પહેલા આવીને તેમને બોલવુ પડી રહ્યુ છે.આ કોઈ ટીવી સિરિયલ નથી,આ ગંભીર મુદ્દો છે.લોકતંત્રમાં સંખ્યાબળ નિર્ણાયક હોય છે.અમારે 123 ધારાસભ્ય જોઈએ અને હજુ આનાથી વધારે ધારાસભ્ય છે.તમામ ધારાસભ્ય અમને વોટ આપશે.આ તે ધારાસભ્ય છે જે 2018થી અમારી સાથે છે. તેમણે ઘણીવાર સમર્થન આપ્યુ છે.આનાથી સુભાષચંદ્રા હતાશ જરૂર થશે.

કોંગ્રેસની દાવેદારી પર સચિને કહ્યુ કે 10 તારીખે અમારા ત્રણેય ઉમેદવાર જીતીને આવશે.આ એક ટ્રેડ બની ગયો છે.રાજસ્થાન અને હરિયાણામાં ભારે બહુમત સાથે જીતશે.અજય માખન હરિયાણાથી જીતશે. ભાજપની યોજનાઓ સફળ નહીં થાય.સુભાષ ચંદ્રા નામ પાછુ લેશે.મહારાષ્ટ્રમાં પણ જીતશે.અમે જીતીને પ્રદેશની વાતને દિલ્હીમાં ઉઠાવીશુ.પાર્ટીમાં સમગ્ર રીતે શાંતિનો માહોલ છે.2023માં પાછી અમારી સરકાર બનશે.અમે સૌ ઈચ્છીએ છીએ કે બીજીવાર સરકાર બને.

ગૌતમ અદાણીને મળી રાહત ! અંબુજા-એસીસી સીમેન્ટ ખરીદવા માટે લીધેલી લોન ચૂકવવાનો સમય વધ્યો
એસ-400 મિસાઈલ ડિફેન્સ સિસ્ટમના ચાઈનિઝ સોફ્ટવેરની તપાસ કરે ભારતઃ સ્વામી
IPL 2022: મેચ પૂરી થયા બાદ MS ધોનીએ દિલ્હી કેપિટલ્સના ખેલાડીઓનો ‘માસ્ટરક્લાસ’ લીધો
પાલઘર બાદ હવે યુપીના બુલંદ શહરમાં બે સાધુઓની મંદિરના સંકુલમાં જ કરપીણ હત્યા
આ દેશમાં ૪ બાળકો ધરાવતી મહિલાઓને ઇન્કમટેક્ષમાંથી મળે છે આજીવન મુકિત, કારણ જાણીને ચોંકી જશો
Share This Article
Facebook Email Print
Previous Article સલમાન ખાન બાદ હવે પંજાબના કોંગ્રેસી નેતાઓને પણ મળી જાનથી મારી નાંખવાની ધમકી
Next Article હૈદરાબાદ ગેંગરેપ કેસ: ધારાસભ્યના સગીર પુત્રને પણ આરોપી બનાવાયો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up