By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સલમાન ખાન બાદ હવે પંજાબના કોંગ્રેસી નેતાઓને પણ મળી જાનથી મારી નાંખવાની ધમકી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > સલમાન ખાન બાદ હવે પંજાબના કોંગ્રેસી નેતાઓને પણ મળી જાનથી મારી નાંખવાની ધમકી
GeneralNational

સલમાન ખાન બાદ હવે પંજાબના કોંગ્રેસી નેતાઓને પણ મળી જાનથી મારી નાંખવાની ધમકી

HM News
Last updated: 08/06/2022 7:29 AM
HM News
3 years ago
Share
SHARE

નવી દિલ્હી : તા.08 જૂન 2022,બુધવાર : પંજાબી સિંગર સિદ્ધૂ મૂલે વાલાની હત્યા બાદ અનેક લોકોને જાનથી મારી નાંખવાની ધમકીઓ મળી રહી છે.સૌ પ્રથમ આવી ધમકી બોલિવુડ એક્ટર સલમાન ખાનને મળી હતી.સલમાન ખાન બાદ હવે કોંગ્રેસી નેતાઓને પણ ધમકીભર્યા કોલ અને મેસેજ આવવા લાગ્યા છે. તેમને ધમકીઓ આપવામાં આવી રહી છે કે,’તેમની હાલત પણ સિદ્ધૂ મૂલે વાલા જેવી થશે.’ લુધિયાણાના કોગ્રેસી સાંસદ રવનીત સિંહ બિટ્ટૂ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા કુલદીપ બિશ્નોઈને વિવિધ મુદ્દાઓ ઉપર મૂસે વાલા જેવી હાલત કરવાની ધમકીઓ મળી રહી છે.બિટ્ટૂના અંગત મદદદનીશ(PA) હરજિંદર સિંહે જણાવ્યું કે,’આ કોલ એક આંતરરાષ્ટ્રીય નંબર ઉપરથી કરવામાં આવ્યો હતો.’

રવનીત સિંહ બિટ્ટૂના પીએ હરજિંદર સિંહના મોબાઈલ ઉપર એક અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો.ફોન કરનારે કહ્યું હતું કે,’અમે અમારી યાદીમાં બિટ્ટૂનું નામ સામેલ કરી લીધું છે.’સિંહે કહ્યું હતું કે,ફોન કરનારે આ ધમકી ઉગ્રવાદી નેતા જનરલ સિંહ ભિંદરાવાલા વિરુદ્ધ નિવેદન આપવા માટે આપી છે.તેમણે આગળ જણાવ્યું હતું કે,બિટ્ટૂને ધમકીભર્યા કોલ વિશે જાણ કરવામાં આવી છે.હાલમાં તેઓ પોતાના પરિવાર સાથે બહાર ફરવા ગયા છે.લુધિયાણાના પોલીસ કમિશ્નર કૌસ્તુભ શર્માએ જણાવ્યું કે,આ કેસ નાયબ પોલીસ કમિશ્નરને મોકલવામાં આવ્યો છે.

કોંગ્રેસના અન્ય એક નેતા કુલદીપ બિશ્નોઈને પણ અજાણ્યા વ્યક્તિઓ તરફથી આવી જ ધમકીઓ મળી હતી.તેમને પણ એક અજાણ્યા નબંર ઉપરથી મેસેજ આવ્યો હતો કે,તામારા કારણે આખા સમાજની બદનામી થઈ રહી છે.તમારામાં બદલાવ લાવો તો સારૂં,નહીંતર તમારી હાલત પણ મૂસે વાલા જેવી કરી દઈશું….તમને કૂતરાના મોતે મારી નાંખવામાં આવશે.આ મામલે કુલદીપ દ્વારા આદમપુર પોલીસ સ્ટેશન ખાતે ધમકીભર્યા કોલની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને આ કેસની FIR નોંધવામાં આવી છે.

આ અગાઉ બોલિવુડ એક્ટર સલમાન ખાન અને તેમના પિતા સલીમ ખાનને પણ ધમકી આપવામાં આવી હતી.તેમને રવિવારના રોજ એક પત્ર મળ્યો હતો,જેમાં લખ્યું હતું કે,સલીમ અને સલમાન ખાન ટૂંક સમયમાં તમારી હાલત પણ મૂસે વાલા જેવી થશે.આવો ધમકીભર્યો પત્ર મળ્યાના એક દિવસ બાદ મુંબઈ પોલીસે સલીમ ખાનનું નિવેદન નોંધ્યુ હતું.પોલીસ અધિકારીઓએ બાંદ્રા ખાતેના સલમાન ખાનના ઘરની મુલાકાત લીધી હતી અને બિલ્ડિંગની આસપાસ સુરક્ષા વધારી દીધી હતી.

વેરવિખેર થયેલા નાના ઉદ્યોગોને રાહત આપશે સરકાર
પાલનપુર સિવિલ હોસ્પિટલમાં પ્રસુતાને વેન્ટિલેટર ન મળતા મૃત્યુ, બાળક સાથે ગુમાવ્યો જીવ
મહારાષ્ટ્રની રાજનીતિમાં ભૂકંપ : શરદ પવારની NCPનું અધ્યક્ષ પદ છોડવાની સત્તાવાર જાહેરાત
ચૂંટણીના પ્રચાર વચ્ચે સૌરાષ્ટ્રના આ શહેરમાં ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે ફિલ્મી સ્ટાઇલમાં જાહેરમાં જ મારામારી
ઈઝરાયલના હુમલાઓમાં 24 કલાકમાં 436 લોકોના મોત
Share This Article
Facebook Email Print
Previous Article રેશનની દુકાનો પર ફળ, શાકભાજી વેચવા મંજૂરી
Next Article સચિન પાયલટનો સુભાષ ચંદ્રા પર પલટવાર : ‘રાજકારણ કોઈ ટીવી સીરિયલ નથી’
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up