By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સુરતમાં ‘આપ’ના મહિલા કોર્પોરેટરે લોકોને ભયમુક્ત કર્યા, વૃક્ષો વિશાળ થઈ જતાં પાલિકાની ટીમ બોલાવી વૃક્ષોની ડાળીઓ કપાવી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરતમાં ‘આપ’ના મહિલા કોર્પોરેટરે લોકોને ભયમુક્ત કર્યા, વૃક્ષો વિશાળ થઈ જતાં પાલિકાની ટીમ બોલાવી વૃક્ષોની ડાળીઓ કપાવી
GeneralSurat

સુરતમાં ‘આપ’ના મહિલા કોર્પોરેટરે લોકોને ભયમુક્ત કર્યા, વૃક્ષો વિશાળ થઈ જતાં પાલિકાની ટીમ બોલાવી વૃક્ષોની ડાળીઓ કપાવી

HM News
Last updated: 05/03/2021 9:39 AM
HM News
4 years ago
Share
SHARE

– કોર્પોરેટર કુંદન કોઠીયાએ કોર્પોરેશનમાં પોતે જઇને અધિકારીઓ અને તેમની સમસ્યા અંગે માહિતી આપી

સુરત : સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી વાડીનાથ સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી વૃક્ષો વિશાળ થઈ જતાં હાઇટેન્શન વીજળીની લાઇન અડી જતા હતા.તેના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળતો હતો.આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર 4ના કોર્પોરેટર કુંદનબેન કોઠીયાએ કોર્પોરેશનના અધિકારીઓને બોલાવીને તાત્કાલિક અસરથી વૃક્ષની ડાળીઓ કપાવી હતી.વૃક્ષની ડાળીઓ વધુ ફેલાઈ જતા હાઈટેન્શન લાઈનમાં સતત સ્પાર્ક થતો રહેતો હતો.ચોમાસા દરમિયાન સ્થિતિ વધુ ગંભીર થઈ જતી હતી.

કોર્પોરેશનમાં વારંવાર વાડીનાથ સોસાયટીના લોકો દ્વારા ઓનલાઈન કમ્પ્લેઇન કરવામાં આવતી હતી ઓનલાઈન કમ્પ્લેઇન અંગેની કોઈ ગંભીરતા કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા લેવામાં આવી નહીં.વારંવાર સ્થાનિક લોકો દ્વારા રજૂઆત કરવા છતાં પણ અધિકારીઓ સ્થાનિક લોકોનો પ્રશ્નોનો ઉકેલ લાવવામાં ઉદાસીન હતા.આખરે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર કુંદન કોઠીયાએ કોર્પોરેશનમાં પોતે જઇને અધિકારીઓ અને તેમની સમસ્યા અંગે માહિતી આપી અને ત્યારબાદ અધિકારીઓ દ્વારા તાત્કાલિક અસરથી તેમના વિસ્તારમાં આવીને વૃક્ષોની ડાળીઓ કાપવાનું શરૂ કરવામાં આવ્યું હતું.

પ્રશ્ન એટલા માટે વધુ ગંભીર થઈ જતો હતો કે, ચોમાસા દરમિયાન ઝાડની ડાળીઓના કારણે હાઈટેન્શન વચ્ચે ઘર્ષણ થતું હતું.પરિણામે શોર્ટસર્કિટ વારંવાર થવાના બનાવો આ વિસ્તારમાં બની રહ્યા હતા.લોકોને ડર હતો કે જો વધુ પવન સાથે આ ડાળીઓ હાઇટેન્શન લાઇન સાથે વારંવાર અડી જાય તો હાઈટેન્શન લાઈનના કેબલ તૂટી શકે છે અને રાહદારીઓને કે નાના બાળકોને કરંટ લાગી શકે છે. કરંટ લાગી જવાના બીકને કારણે ઘણા સમયથી સ્થાનિક લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી રહી હતી.પરંતુ સ્થાનિક ભાજપના કોર્પોરેટરોએ અને કોર્પોરેશનના અધિકારીઓએ આ બાબતને ગંભીરતાથી લીધી નહીં. આખરે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરે સ્થાનિક પ્રશ્નનું નિરાકરણ કર્યું છે.

ભારતની નૌ સેનાના આઠ પૂર્વ અધિકારીઓને કતાર મોતની સજા ફટકારશે? પાક અખબારે કર્યો ચોંકાવનારો દાવો
સુરત : વરાછા, કતારગામ, પાંડેસરા અને સચિન વિસ્તારનાં પાંચ લાખ લોકોની વતન તરફ દોટ
કરોડો વૈષ્ણવોની આસથાની પ્રતિક યમુના બનશે ‘પવિત્ર’
મેટ્રો સ્ટેશનો આસપાસ પાર્કિંગ માટે પ્લોટ શોધવા સ્ટે.ચેરમેનની સૂચના
મમતા બેનર્જીએ 18 રાજ્યના CMને લખ્યો પત્ર, કહ્યુ- તમારા લોકોને અમે સાચવીશું, અમારા લોકોને તમે સાચવજો
Share This Article
Facebook Email Print
Previous Article સાંસદ મોહન ડેલકરના પરિવારને સાંતવના આપવા ‘આપ’ના સાંસદ સંજય સિંહ સુરત પહોંચ્યા, દાદરાનગર હવેલી જવા રવાના
Next Article સુરતમાં ઘરમાંથી સળગતો પતિ બહાર દોડી આવ્યો, પાછળ પત્ની ધાબળો લઈને દોડી બચાવ્યો, બંને ગંભીર રીતે દાઝ્યા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up