ભોપાલ : કોરોનાકાળમાં હવે ભાજપ્ના નેતાઓએ મૃતદેહ સાથે સેલ્ફી લેવાનું જ બાકી રાખ્યું છે.ગઈકાલે ભોપાલમાં પૂર્વ મેયર અલોક શર્માએ શબવાહીનીને લીલીઝંડી આપીને રવાના કરી હતી અને આ વાહન સાથે ફોટા પડાવ્યા હતા.શહેર નગરકાલીકા દ્વાર વધતા જતા મૃત્યુના સંદર્ભમાં તાત્કાલીક છ મીની શબવાહીની તૈયાર કરીને વિવિધ હોસ્પીટલોને આપી છે અને પૂર્વ મેયર શર્મા આ મુક્તિવાહીનીના અર્પણ સમારોહમાં પહોંચી ગયા હતા.શબવાહીનીના કર્મચારીઓએ પીપીઈ શૂટ પહેર્યા હતા અને પૂર્વ મેયર તેની બાજુમાં શબવાહીનીની આગળ ઉભા રહી ગયા હતા.અગાઉ ભાજપ્ના નેતાઓએ અહી ઓકસીજન ટેન્કરની સાથે ફોટા પડાવ્યા હતા તે સમયે પણ ટીકા થઈ હતી.