હવે આપ ભરાયું ! AAPના દક્ષિણ ગુજરાતના કેટલાક ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઇ જવાયા

HM News
3 Min Read

ગતરોજ આમ આદમી પાર્ટીના સુરતથી ઉમેદવાર કંચન જરીવાલાએ નાટ્યાત્મક રીતે પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લીધું હતું.આ એક ઘટનાને કારણે બેઠક પર સીધે સીધો ભાજપને ફાયદો પહોંચશે.આ ઘટના પરથી શીખ મેળવીને આમ આદમી પાર્ટી દ્વારા દક્ષિણ ગુજરાતના કેટલાક ઉમેદવારોને હાલ અજ્ઞાત સ્થળે લઇ જવામાં આવ્યા હોવાનું ઉચ્ચસ્તરીય સુત્રોએ ઉમેર્યું છે.સામાન્ય રીતે રાજ્યસભાની ચૂંટણી ટાણે મતદાન પહેલા કોઇ પાર્ટી ધારાસભ્યોને ફૂટી જતા રોકવા પોતાના પ્રતિનીધીઓને અન્યત્રે લઇ જવાની ઘટના અત્યાર સુધી સામે આવતી રહી છે.ત્યારે આજે આપ દ્વારા તો દક્ષિણ ગુજરાતની તમામ બેઠકોના ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઇ જવા પડે તેવી સ્થિતીનું સર્જન થયું છે.

ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણી યોજાવવા જઇ રહી છે.જેમાં પ્રથમ તબક્કા માટે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની આજે આખરી તારીખ છે.ગતરોજ સુરત પૂર્વ બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર કંચન જરીવાલાએ નાટ્યાત્મક રીતે પોતાનું ફોર્મ પરત ખેંચી લીધું હતું.ઇસુદાન ગઢવી અને આપના નેતાઓ દ્વારા ટ્વીટર પર કંચન જરીવાલાને ભાજપના માણસો હેરાન કરતા હોવાનો અને ગાયબ કરી દીધા હોવાનો આરોપ મુકવામાં આવ્યો હતો.તેવામાં જ જરીવાલાએ નાટ્યાત્મક રીતે કચેરીમાં એન્ટ્રી લઇ ફોર્મ પરત ખેંચી લીધું હતું.જેને કારણે આપમાં મોટો સેટબેક સર્જાયો હતો.અને આમ આદમી પાર્ટીની નેતાગીરીએ નીચુ જોવા જેવું થયું હતું.

આ ઘટનાના પરથી આમ આદમી પાર્ટી શીખી હોય તેવું લાગી રહ્યું છે.આમ આદમી પાર્ટી દ્વારા આજે દક્ષિણ ગુજરાતના કેટલાક નેતાઓને અજ્ઞાન સ્થળે લઇ જવામાં આવ્યા હોવાનું ઉચ્ચ સુત્રોએ જણાવ્યું છે.જે પૈકી કેટલાક ઉમેદવારોએ તો તેમના મોબાઇલ સ્વીચ ઓફ કરી દીધા છે.તો જેમના ફોન ચાલું છે તેવા ઉમેદવારો આ અંગે કંઇ ખુલાસો કરવા તૈયાર નથી.જે ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઇ જવામાં આવ્યા છે,તે તમામ બેઠકો પર ઉમેદવારી ફોર્મ ખેંચવાનો આજે અંતિમ દિવસ છે.આ ઘટનાને કારણે આમ આદમી પાર્ટી વધુ એક વખત ચર્ચાનો વિષય બની છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કોઇ રાજ્યમાં ચૂંટણી પછી સરકાર બનાવવામાં સંખ્યાબળ ઓછું હોય અથવા તો રાજ્યસભાની ચૂંટણીમાં ધારાસભ્યો ફૂટવાનો ડર હોય તેવા સંજોગોમાં ચૂંટાયેલા પ્રતિનીધીઓને પાર્ટી અજ્ઞાત સ્થળે લઇ જતી હોય છે.પરંતુ આમ આદમી પાર્ટીએતો માત્ર ચૂંટણી ફોર્મ ભરેલા ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઇ જવા પડે તેવી સ્થિતીનું સર્જન થયું છે.સુત્રોએ ઉમેર્યું કે, કંચન જરીવાલાની ઘટનાનું પુનરાવર્તન અટકાવવા માટે પાર્ટી દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *