અમદાવાદ, તા. ૪ : જુડીશિયલ ઓફીસરમાંથી હાઇકોર્ટ જજ તરીકે પદોન્નતિ પામેલ ચાર ન્યાયમૂર્તિઓએ હાઇકોર્ટમાં શપથ ગ્રહણ કર્યા હતાં. ગુજરાતના કાયદા વિભાગ હેઠળ જુડીશિયલ ઓફીસર તરીકે ફરજ બજાવતા ઇલેશ જશવંતરાય વોરા, ગીતા ગોપી, અશોકકુમાર ચિમનલાલ જોષી તથા રાજેન્દ્ર એમ. સરીનને કોર્ટ કાર્યવાહીની શરૂઆત પહેલા ચીફ જસ્ટીસ વિક્રમનાથે અકિલા શપથ લેવડાવ્યા હતા. આ પ્રસંગે કાયદા અને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, વર્તમાન તથા રિટાયર્ડ ન્યાયમૂર્તિઓ, હાઇકોર્ટના ઓફીસર તથા સિનિયર એડવોકેટસ ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત હાઇકોર્ટમાં પડતર કેસોની સંખ્યા ૧.ર૯ લાખ છે, અને આ વડી અદાલતમાં મંજૂર પર જજના મહેકમ સામે માત્ર ર૭ જજોના સંખ્યાબળથી કામ ચલાવે છે. તેમાં પણ આવનારા પ મહિનામાં ૪ જજ રિટાયર થવાના છે. જજોનું ઓછું સંખ્યાબળ અને અદાલતમાં વહીવટી સુધારાના અભાવથી જસ્ટીસ ડીલીવરી સિસ્ટમ રૃંઘાઇ ગઇ છે તથા લોકોને ન્યાય મળવામાં વિલંબ થાય છે. દરેક હાઇકોર્ટમાં વધતા-ોછા અંશે આવી હાલત પ્રવર્તે છે. વર્તમાન પરિસ્થિતિ વચ્ચે ગુજરાત હાઇકોર્ટમાં માત્ર ૪ જજોની નિમણૂંક કરવાને આવી છે. મંજૂર મહેકમ સામે જજોની ઘણી ઓછી સંખ્યાને કારણે કેસ પેન્ડન્સી વધી રહી છે ત્યારે મંજૂર મહેકમ અનુસાર જજોની ભરતી કયારે પૂર્ણ કરાશે તે ચર્ચા હાલ વકીલ આલમમાં ટોક ઓફ ધ ટાઉન બની રહી છે