રાજ્યમાં નેતાઓની દાદાગીરીના કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે.ત્યારે આવી જ ઘટના અમદાવાદમાં સામે આવી છે.ભાજપના કોર્પોરેટરે ફર્નિચરની દુકાનના વેપારીને હાથ પગ ભાંગી નાખી દુકાન સીલ કરાવી દેવાની ધમકી આપી અને તેથી વેપારી અમદાવાદ પોલીસ કમિશનરને રજૂઆત કરીને પોલીસ પ્રોટેક્શન માગ્યું છે.
ભાજપના કોર્પોરેટરે ધમકી આપી છે તે વેપારી નું નામ અશોક સુથાર છે અને તે અમદાવાદના ખોખરા વિસ્તારમાં રહે છે અને ફર્નિચરના વેપાર સાથે સંકળાડાયેલા છે.ત્યારે જે ભાજપનાને કોર્પોરેટરે ધમકી આપી છે તેનું નામ ચેતન પરમાર છે અને તે ખોખરા વોર્ડના કોર્પોરેટર છે.
અશોક સુથાર નામના વેપારીને રાધે મોલમાં એક દુકાન આવેલી છે ઘણા દુકાન તમને એક વ્યક્તિને ભાડે આપી છે પરંતુ છેલ્લા 15 મહિનાથી આ વ્યક્તિ દુકાન ખાલી કરતો નથી.તેથી અશોક સુથાર ભાજપના કોર્પોરેટર કેતન પરમાર પાસે ગયા હતા અને તે સમયે કોર્પોરેટરે આ મેટર સોલ કરી આપવાનું કહ્યું હતું.બાદ રક્ષાબંધનના દિવસે કોર્પોરેટર ચેતન પરમારે વેપારી અશોક સુથારને મળવા બોલાવ્યો હતો પરંતુ રક્ષાબંધના પર્વ નિમિત્તે વેપારીએ પછી મળવા આવીશ તેવું જણાવ્યું હતું.ઘટના બાદ 23 ઓગસ્ટના રોજ કેટલાક ઇસમો બાઇક લઇને વેપારી પાસે ગયા હતા અને કહ્યું હતું કે કોર્પોરેટર ચેતન પરમાર તમને બોલાવે છે.જેથી વેપારી કોર્પોરેટર ચેતન પરમારની ઓફિસ પર મળવા ગયો હતો.પરંતુ કોર્પોરેટર આ વેપારી સાથે ગાળાગાળી કરી હતી અને દુકાને સીલ મરાવી દેવાનું કહ્યું હતું.સાથે જ કોર્પોરેટર કેતન પરમાર એ એવી ધમકી આપી હતી કે ચાર દિવસમાં તારી હવા કાઢી નાખીશ આ ઉપરાંત કોર્પોરેટરે બંને દુકાનોને સીલ કરીને વેપારીના હાથ-પગ તોડાવી નાખવાની પણ ધમકી આપી હતી. તેથી વેપારીએ સમગ્ર મામલે અમદાવાદ શહેર પોલીસ કમિશનર અને અમરાઈવાડી પોલીસ સ્ટેશનના PI ને લેખિતમાં ફરિયાદ કરીને પોલીસ પ્રોટેક્શન માંગ્યું હતું.
મામલો બહાર આવ્યા બાદ ભાજપના કોર્પોરેટર ચેતન પરમારે જણાવ્યું હતું કે હું, સામેવાળી પાર્ટીને ઓળખતો નથી.કાલે મારો મિત્ર ત્યાંથી નીકળ્યો હતો એટલે મેં કહ્યું હતું કે પહેલાં સુથારને બોલાવજે ઓફિસમાં ફર્નિચરનું કામ છે અને તેની દુકાનની મેટર છે તે બાબતે સોલ્યુશન લાવી દઈએ.મેં કોઈ સીલ મારવાની વાત કરી નથી આ વાતને જોડવામાં આવી છે અને રાજકીય રીતે મને ફસાવવાનો સ્ટંટ છે
ફર્નિચરની દુકાન માલિક અશોક સુથારનો આક્ષેપ છે કે ભાજપના કોર્પોરેટર ચેતન પરમારે તેમને માનસિક અને શારીરિક ત્રાસ આપીને મારી નાખવાની ધમકી આપી હતી અને 22 ઓગસ્ટના રોજ ચેતન પરમારે ફોન કરીને ધમકી આપી હતી કે, દિપક શાસ્ત્રી દુકાન ખાલી નહીં કરે.દુકાન તારે મને વેચી દેવાની છે અને બીજા દિવસે તેમાં ત્રણ માણસો દુકાને આવીને ધમકી આપી ગયા હતા અને કહ્યું હતું કે, દુકાનને શીલ કરાવી દઈશું અને ચેતન પરમારે ઓફિસે મળવા બોલાવ્યો છે.સાથે વેપારી એવો પણ આક્ષેપ કર્યો હતો કોર્પોરેટર ચેતન પરમારે તેમની સાથે ખૂબ જ ખરાબ વર્તન કર્યો હતું અને કહ્યું હતું કે તારી દુકાન ખાલી નથી કરવાનું અને પોલીસ ફરિયાદ પાછી લઈ જજે નહીં તો તારા હાથ-પગ તોડી નાખીશ તારી દુકાન મારે વેચાણ લેવાની છે બાકી બંને દુકાન શીલ કરાવી દઈશ.તારો વેપાર ધંધો બંધ કરાવી દઈશ હું ભાજપનો કોર્પોરેટર છું તું મારું કશું બગાડી શકવાનો નથી.