અમદાવાદ : શહેરની એક ખાનગી હોસ્પિટલમાં 1 જ મહિનામાં બાયપાસના દર્દીને રિકવર કરી કેન્સરની સર્જરી કરવાની અનોખી સિદ્ધિ નોંધાવી છે.જેમાં હોસ્પિટલ ખાતે 60 વર્ષીય એક દર્દીને જડબાના કેન્સરની સર્જરી માટે દાખલ કરવામાં આવ્યા હતા અને ઓપરેશન પહેલાંની તપાસમાં દર્દીને હૃદયની તકલીફ હોવાનું જાણ થઈ.એન્જિયોગ્રાફી કરતા જાણ થઇ કે આ દર્દીની હૃદયની ત્રણેય નળી બ્લોક હતી.તબીબોએ પહેલાં દર્દીની સર્જરી કરી હતી અને એક મહિનાની અંદર જ તેને રિકવર કરી કેન્સરની સર્જરી સફળતાપૂર્વક પાર પાડી હતી.
આ કેસમાં ડોક્ટરો માટે સમસ્યા એ હતી કે પહેલાં દર્દીનું હૃદય ઠીક કરવું મહત્ત્વનું હતું કેમ કે જો હૃદય સ્વસ્થ ન હોય તો શરીર કેન્સરની સર્જરી સહી શકે નહીં અને ચાલુ સર્જરીમાં હાર્ટઅટેક આવવાની સંભાવના રહી શકે.બાયપાસ સર્જરીમાં સમસ્યાએ હતી કે એનું મોઢું ખુલતું નહતું કેમકે દર્દીને જડબાનું કેન્સર હતું.આવી સ્થિતિમાં સ્પેશિયલ ટેક્નિક(ફાઈબર ઓપ્ટિક પદ્ધતિ)થી દર્દીને બેહોશ કરવું પડે છે,જેમાં દૂરબીન થકી એક નળી દર્દીના ફેફસાંમાં નાંખવી પડે છે અને હૃદયની સર્જરી દરમિયાન ઘણું બધું બ્લડ પાતળું પણ કરવું પડે છે એ સમયે કેન્સરવાળી જગ્યાએથી પણ બ્લડ નીકળવાની શક્યતા રહેતી હોય છે. બીજી સમસ્યા એ હતી કે જ્યારે દર્દીનું બાયપાસ કરવામાં આવે તો મોટેભાગે બીજા 3-6 મહિના સુધી બીજી કોઈ સર્જરી કરવી સલાહભરી નથી કારણ કે લોહી પાતળું કરવાની દવાઓ 3-6 મહિના સુધી ચાલુ રાખવી પડે અને જો આ સમયગાળામાં કેન્સરની સર્જરી ન કરવામાં આવે તો કેન્સરના ફેલાવવાની શક્યતા વધી જાય છે.
આ કેસમાં મહત્ત્વનું એ હતું કે,એ રીતે બાયપાસ સર્જરી કરવામાં આવે જેથી વહેલી રિકવરી થાય અને કેન્સરની સર્જરી કરી શકાય જેથી કેન્સરનું સ્ટેજ બદલાઈ ન જાય.આ માટે આ દર્દીમાં ડોક્ટરોએ રૂટિન બાયપાસનું વિકલ્પ છોડીને ટોટલ આર્ટિરિયલ રિવાસ્ક્યુલરાઇઝેશન(TAR)કર્યું.નોર્મલ બાયપાસમાં એક ઘમની અને 2-૩ શીરા(પગની નળીઓ )નો ઉપયોગ કરવામાં આવે છે.ટોટલ આર્ટિરિયલ રિવાસ્ક્યુલરાઇઝેશન પદ્ધતિમાં ફક્ત ધમનીઓનો જ ઉપયોગ કરવામાં આવે છે આ નળીઓ કે તો હાથમાંથી અથવા છાતીમાંથી જ બને નળીઓ લેવામાં આવે છે.ટોટલ આર્ટિરિયલ રિવાસ્ક્યુલરાઇઝેશનનો ફાયદોએ છે કે સર્જરીના ૩-4 અઠવાડિયાની અંદર જ કેન્સરની સર્જરી કરી શકાય છે અને આ દર્દીની 4 અઠવાડિયામાં જ કેન્સર સર્જરી કરવામાં આવી અને અત્યારે દર્દી સ્વસ્થ છે.કરી કેન્સર સર્જરીની અનોખી સિદ્ધિ


