ગાંધીનગર : વિધાનસભા ચૂંટણીનું વર્ષ છે ત્યારે અત્યારથી જ રાજકીય પક્ષો દ્વારા દાવા-પ્રતિદાવાઓ શરૂ થઇ ગયા છે.શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ ૨૦૨૩માં પણ મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ જ હશે તેમ ખાતરીપૂર્વક જણાવ્યું છે.અમદાવાદમાં એલ.ડી.ઇજનેરી કોલેજના કાર્યક્રમમાં મંત્રી વાઘાણીએ કહ્યું હતું કે જાન્યુઆરીમાં કોલેજનો મોટો જલસાનો કાર્યક્રમ થવાની જાણકારી મળી છે.તે વખતે ૨૦૨૩ હશે એટલે વળી પાછા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્રભાઇ પટેલ હશે એટલે પાછા અમે આવીશું.અમે જલસામાં સામેલ થઇશું સાહેબ સાથે કારણકે અમારી પાર્ટીને અને નરેન્દ્રભાઇ મોદીને રાજ્યની જનતાને તમે આશીર્વાદ આપેલા છે.
શિક્ષણ મંત્રી જિતુભાઈ વાઘાણીએ કહ્યું કે,આજે ઈતિહાસમાં એક નવી કેડી કંડારાઈ છે.દેશ જયારે આઝાદીનાં ૭૫ વર્ષની ઉજવણી કરી રહ્યો છે ત્યારે એલ.ડી.કોલેજ ઓફ એન્જિનિયરિંગના 75 વર્ષ એ ગુજરાત અને દેશમાં એક સિદ્ધિ છે.‘જે છે એમાંથી શ્રેષ્ઠ શું કરી શકાય’એ આ કોલેજનો એક વિચાર રહ્યો છે અને એ વિચાર જ આ કોલેજને દિનપ્રતિદિન આગળ વધારી રહ્યો છે.