[weather_data]
Breaking News
TRENDING NEWS

Category: Saurashtra

કચ્છના મુન્દ્રાની ખાનગી શાળામાં હિંદુ બાળકોને ઇસ્લામીક ટોપી પહેરાવી ઈદના દિવસે અદા કરાવાઈ નમાજ

ઈદના દિવસે શાળામાં હિંદુ બાળકોને નમાજ અદા કરાવવા બદલ કચ્છની એક શાળા વિવાદમાં આવી છે.આ મામલે જિલ્લા શિક્ષણાધિકારીએ તપાસના આદેશ આપ્યા છે તો બીજી તરફ સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થયા બાદ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.અહીં ઈદના દિવસે બાળકોને ટોપી પહેરાવીને ‘સ્કૂલ એક્ટિવિટી’ના નામે નમાજ અદા કરાવડાવવામાં આવી હતી.જેને લઈને ભારે વિરોધ થયા બાદ શાળાએ માફી માંગવી પડી છે. સોશિયલ મીડિયા પર એક વિડીયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે,જેમાં અમુક બાળકોના માથે મુસ્લિમો પહેરે તેવી ગોળ ટોપી પહેરાવવામાં આવી છે અને તેઓ નમાજ અદા કરતા જોવા મળી રહ્યા છે.રિપોર્ટ્સ અનુસાર, આ વિડીયો મુન્દ્રાની પર્લ સ્કૂલનો છે અને જે
Read more

રાજકોટ શહેર ભાજપનું નવું માળખુ તૈયાર, મહામંત્રી સહિત 20 હોદ્દેદારોની કરાઈ નિમણૂક

– શહેર પ્રમુખ મુકેશ દોશીએ નવા હોદેદારોની યાદી જાહેરાત કરી હતી – નવા માળખામાં 8 ઉપપ્રમુખ, 8 મંત્રી, 3 મહામંત્રી અને 1 કોષાધ્યાક્ષ દેશમાં આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે ગુજરાત ભાજપ દ્વારા અત્યારથી જ શરુઆત કરી દીધી છે.રાજકોટમાં પહેલા શહેર અને જિલ્લામાં ભાજપે પ્રમુખ બદલ્યા હતા ત્યારે હવે શહેર અને જિલ્લામાં નવું માળખાની જાહેરાત કરવામાં આવી છે. ગઈકાલે શહેર ભાજપના નવા હોદેદારોની યાદી જાહેર કરી હતી. ભાજપે દરેક સમાજને આવરી લઈને હોદા અપાયા રાજકોટ જિલ્લા બાદ શહેર ભાજપ દ્વારા નવા હોદેદારની જાહેરાત ગઈકાલે કરવામાં આવી હતી જેમા આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી દરેક સમાજને આવરી લઈને હોદા આપવામાં
Read more

વાવાઝોડું જખૌ પોર્ટથી ફક્ત 140 કિ.મી. દૂર, દર કલાકે 8 કિ.મી. આગળ વધી રહ્યું છે

– 94 હજારથી વધુ લોકોને સ્થળાંતર કરીને અસ્થાયી શેલ્ટર હોમમાં ખસેડવામાં આવ્યા – NDRFની 18 ટીમો ગુજરાતમાં રાખવામાં આવી છે રાજ્યના તમામ જિલ્લાઓમાં કંટ્રોલ રૂમ કાર્યર : સહાય માટે આ નંબરો પર સંપર્ક કરો જખૌ પોર્ટથી વાવાઝોડું ફક્ત 140 કિલોમીટર જ દૂર બિપરજોય વાવાઝોડું ઝડપી ગતિએ હવે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે.હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર હવે જખૌ પોર્ટથી વાવાઝોડું ફક્ત 140 કિલોમીટર જ દૂર રહી ગયું છે.જ્યારે પોરબંદરથી 290 કિ.મી. દૂર છે.તેનો ઘેરાવ 50 કિલોમીટરનો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. મુખ્યમંત્રીના નેતૃત્વમાં સમીક્ષા બેઠકમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં યોજાયેલી બેઠક દરમિયાન
Read more

બિપરજોય : ગુજરાતના 115 તાલુકાઓમાં વરસાદ, અમદાવાદમાં વાતાવરણમાં પલટો

વાવાઝોડાને લઈ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.જેમાં અમદાવાદ સહિત ગાંધીનગર,મહેસાણામાં છુટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.જેમાં વડોદરા,સાબરકાંઠા,અરવલ્લી અને ખેડામાં પણ ભારે વરસાદની શક્યાતાઓ છે.આ ઉપરાંત પંચમહાલ,દાહોદ,છોટાઉદેપુરમાં પણ વરસાદ વરસવાની સંભાવના છે.બિપરજોય વાવાઝોડું આજે સાંજે ગુજરાતના દરિયાકાંઠે ટકરાશે.જેની અસર ગુજરાતભરમાં જોવા મળી રહી છે.આજે સવારથી જ અમદાવાદમાં કાળા ડિબાંગ વાદળો છવાયા છે.તેમજ વરસાદી ઝાપટા પણ શરૂ થયા છે.શહેરના બોપલ,એસજી હાઇવે,નવા વાડજ સહિતના વિસ્તારોમાં સવારથી વરસાદી ઝાપટા વરસી રહ્યા છે. બીજી તરફ કચ્છના માંડવીમાં તોફાની પવન સાથે સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થયો છે.આથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે.ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 115 તાલુકામાં દોઢ ઈંચ
Read more

બિપોરજોય વાવાઝોડાને લઈ 8 જિલ્લાના 442 ગામડામાં એલર્ટ, 75 હજારથી વધુ લોકોનું સ્થળાંતર

બિપોરજોય ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યું છે.આજે સાંજે તે કચ્છ જિલ્લાના જખૌ પોર્ટ અને તેની અડીને આવેલા પાકિસ્તાની વિસ્તાર સાથે ટકરાશે.આ દરમ્યાન 125થી 150 કિમી પ્રતિ કલાકની ઝડપથી પવન ફુંકાવાની આશંકા છે. મૌસમ વિભાગે કચ્છ અને સૌરાષ્ટ્ર માટે ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે.તેને જોતા ગુજરાત સરકારે આ વિસ્તારના ક્ષેત્રોમાં સમુદ્ર તટથી લગભગ 10 કિમીના દાયરામાં 55 હજારથી વધારે લોકોને કાઢી હંગામી શિબિરોમાં મોકલી દીધા છે. એનડીઆરએફના ઉપ મહાનિરીક્ષક મોહસિન શહીદીએ મીડિયાને જણાવ્યા અનુસાર, છેલ્લા 2 દિવસની અંદર ગુજરાતના તટીય વિસ્તારમાંથી 74 હજારથી વધારે લોકોને સુરક્ષિત જગ્યાએ શિફ્ટ કરી દેવામાં આવ્યા છે.તોફાનને લઈને 8 જિલ્લાના 442
Read more

બિપરજોય વાવાઝોડાએ અંબાણી અને અદાણીને પણ પ્રભાવિત કર્યા, પોર્ટ બંધ થવાથી કરોડોના નુકસાનનો સામનો કરશે

ગુજરાત પર હવે આજે સાંજ સુધીમાં બિપરજોય વાવાઝોડુ ટકરાવાની શક્યતાઓ છે.ત્યારે દેશના સૌથી મોટા બિઝનેસમેન મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીને પણ વાવાઝોડાના કારણે બિઝનેસમાં કરોડો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવી શકે છે. મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ વિશ્વની સૌથી મોટી જામનગર રિફાઈનરી ચલાવે છે.આ માટે ગુજરાતના બંદરેથી જ ક્રૂડ ઓઈલ સપ્લાય અને નિકાસ કરવામાં આવે છે.વાવાઝોડાને ધ્યાનમાં રાખીને કંપનીએ સિક્કા પોર્ટ પરથી ડીઝલ અને અન્ય પેટ્રોલિયમ ઉત્પાદનોનું શિપિંગ સ્થગિત કરી દીધું છે. આ બંદર પર દરરોજ 7,04,000 બેરલ પેટ્રોલિયમ પેદાશોનું ઉત્પાદન થાય છે.તે યુરોપમાં ડીઝલ સપ્લાય કરવા માટેનું મુખ્ય બંદર છે.રશિયા પરના પ્રતિબંધોથી, યુરોપ મોટાભાગે આ બંદરથી મોકલવામાં આવતા પેટ્રોલિયમ પર
Read more

અત્યાર સુધીનું સૌથી લાંબા સમય સુધી રહેનારુ વાવાઝોડુ બન્યુ ‘બિપરજોય’, ભારે વિનાશ સર્જાવાની IMDની આગાહી

– 1998નું વાવાઝોડુ ‘અત્યંત ગંભીર’ હતું – 1998માં આવેલા વાવાઝોડામાં 1,176 લોકો માર્યા ગયા હતા અને હજારો લોકો ઘાયલ થયા હતા નવી દિલ્હી, તા. 15 જૂન 2023, ગુરૂવાર : તોફાની વાવાઝોડુ બિપરજોયના કારણે ગુજરાત સહિત અનેક દરિયાકાંઠાના રાજ્યોમાં ભારે નુકસાન થવાની સંભાવના છે.બિપરજોય આજે સાંજ સુધીમાં ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકી શકે છે.બિપરજોય અરબી સમુદ્રમાં સૌથી લાંબા સમય સુધી રહેનારુ વાવાઝોડુ બનવા જઈ રહ્યું છે.તે 6 જૂને અરબી સમુદ્ર પર રચાયું હતું અને તે લગભગ આઠ દિવસથી બની રહ્યુ છે.બીજી તરફ લેન્ડફોલ કરતી વખતે પણ તે થોડા વધુ દિવસો સુધી અસરકારક રહેશે. ભારતીય હવામાન વિભાગ (IMD)ના ડેટા પ્રમાણે ‘બિપરજોય’ 1965 પછી જૂનમાં
Read more

રાજ્યના મોટાભાગના વિસ્તારમાં આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી

અરબી સમુદ્રમાં સર્જાયેલા બિપોરજોય ચક્રવાત ધીરે ધીરે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે.ચક્રવાત બિપરજોય આજે રાત સુધીમાં ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારો અને પાકિસ્તાનના દરિયાકાંઠે ત્રાટકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.આ દરમિયાન 125થી 135 કિમીની ઝડપે પવન ફૂકાવાની શક્યતા છે.ત્યારે આ વાવાઝોડા પહેલા જ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે પવન વરસાદ વરસી રહ્યો છે.ત્યારે તાજેતરમાં હવામાન વિભાગ દ્વારા આગામી 3 કલાક રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામા આવી છે. વાવાઝોડાને પગલે રાજ્યમાં ભારે વરસાદની આગાહી અરબી સમુદ્ર પર ખૂબ જ ગંભીર ચક્રવાતી તોફાન બિપરજોય ગુજરાત તરફ તીવ્ર ગતિથી આગળ વધી રહ્યું છે.આવી સ્થિતિમાં ગુજરાત માટે ખતરો વધી ગયો છે.ચક્રવાત
Read more

બિપોરજોય વાવાઝોડાના આગમન પૂર્વે જ ગુજરાતના આ વિસ્તારોમાં થયુ અંધારપટ

– વાવાઝોડાના આગમન પૂર્વે તેની અસર માત્રથી ઠેર ઠેર નુકશાન – 2019 વીજપોલ ધરાશાયી થતા વીજ તંત્રમાં દોડધામ – જોરદાર પવન ફુંકાતા પીજીવીસીએલ તંત્ર દોડતું રહ્યું છે ગુજરાતના ભુજના 131 સહિત સૌરાષ્ટ્ર-કચ્છના 240 ગામોમાં અંધારપટ થયુ છે.જેમાં વાવાઝોડાને લીધે સૌરાષ્ટ્રમાં સતત ત્રીજા દિવસે 1,535 ફીડર ઠપ્પ થયા છે.હાલારના 870,જૂનાગઢના 423,પોરબંદરના 203 સહિત 2019 વીજપોલ ધરાશાયી થયા છે.તથા મોરબીમાં 114 ફીડર બંધ થયા, જયારે 64 વીજપોલ પડી ગયા છે. વાવાઝોડાના આગમન પૂર્વે તેની અસર માત્રથી ઠેર ઠેર નુકશાન રાજકોટ સહીત સૌરાષ્ટ્ર – કચ્છમાં બીપરજોય વાવાઝોડાના આગમન પૂર્વે તેની અસર માત્રથી ઠેર ઠેર નુકશાન જોવા મળી રહ્યું છે જોરદાર પવન ફુંકાતા સૌરાષ્ટ્રમાં
Read more

બિપરજોય ગુરુવારે જખૌમાં ત્રાટકશે, તંત્ર એલર્ટ

અરબી સમુદ્રમાં સર્જાયેલ બિપોરજોય વાવાઝોડાની ગતિમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.હાલ આ વાવાઝોડું ગુજરાતથી માત્ર 300 કિલોમીટરની દૂરી પર છે.ત્યારે હાલ રાજયના મોટા ભાગના વિસ્તારોમાં આ વાવાઝોડાની અસર પણ જોવા મળી રહી છે.દરિયા કિનારે 10 નંબરના સિગ્નલ લગાડી દેવામાં આવ્યા છે.પીએમ મોદીએ 24 કલાક કન્ટ્રોલ રૂમ શરૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો.બિપોરજોય વાવાઝોડું જખૌમાં ત્રાટક્શે જેને લઈ તંત્ર સજ્જ થઈ ગયું છે.લોકોને હાલ સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે. વોવાઝોડાની અસર હાલ મોટાભાગના વિસ્તારોમાં જોવા મળી રહી છે.વેરાવળ અને સુત્રાપાડામાં આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ શરુ થઈ ગયો છે.છેલ્લા 24 કલાકમાં સાઠ આઠ ઈંચ વરસાદ ખાબક્તા રસ્તાઓ બેટમાં ફેરવાયા છે.બિપરજૉય
Read more
1 2 3 4 37

Most Read