દિલ્હી હિંસાને પગલે અનુપમ ખેરે રોષ વ્યક્ત કર્યો, કહ્યુ : જિંદગીને સસ્તી ના બનાવો

329

મુંબઈ,તા.૨૫
દિલ્હીમાં ચાલી રહેલા સીએએના વિરોધ પ્રદર્શનમા ભડકેલી હિંસાના કારણે પોલીસ સહિત ૭ના મોત નીપજ્યા છે. જેને લઈને આજે દિલ્હીમા તણાવભરી સ્થિતિ છે અને દિલ્હીના કેટલાક વિસ્તારોમા કલમ ૧૪૪ લાગુ કરવામા આવી છે.
આ ઘટના બાબતે કેટલાક બોલિવુડ સેલિબ્રિટીએ ચિંતા વ્યક્ત કરી છે. બોલિવુડના અભિનેતા અનુપમ ખેરે ટ્વીટમા હિંસામા મૃત્યુ પામનાર હેડ કોન્સ્ટેબલ રતનલાલનો ફોટો શેર કરતા લખ્યુ કે દિલ્હી પોલીસના હેડ કોન્સ્ટેબલ રતનલાલની હત્યાથી હું ખૂબ દુઃખી છુ અને નારાજ છું. હિંસાના અપરાધીઓને પકડો અને દોષિતોને સજા આપવામા આવે. એમના પરિવારને મારા તરફથી આશ્વાસન આપુ છું.
થોડીવાર બાદ અનુપમ ખેરે ફરી ટ્વીટ કરી કે, પોતાના જીવનને એટલુ સસ્તુ બનાવો નહીં કે, કોઈ સામાન્ય વ્યક્તિ આવીને પણ તેને નુકશાન પહોંચાડે. આ ટ્વીટને પણ લોકો દિલ્હીની હિંસા સાથે સરખાવી રહ્યા છે.

Share Now