અનુષ્કા પર BJP નેતાએ ગંભીર આરોપ લગાવી નોંધાવી ફરિયાદ, કહ્યું- વિરાટ કોહલી તરત જ આપે છૂટાછેડા

351

ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીની પત્ની અને બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા હાલ ફિલ્મોથી દૂર છે.તે છેલ્લે શાહરૂખ ખાન સાથે ફિલ્મ ‘ઝીરો’માં નજરે આવી હતી.જો કે,હવે તે તેના પ્રોડ્યૂસર રોલમાં વધુ સક્રિય બની છે. તાજેતરમાં તેને વેબસીરીઝ ‘પાતાલ લોક’ ને પ્રોડ્યૂસ કરી છે.

ત્યારે હવે એવા સમાચાર મળ્યા છે કે ઉત્તર પ્રદેશના એક ધારાસભ્ય નંદકિશોર ગુર્જરે અનુષ્કા શર્મા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.મીડિયા રિપોર્ટ મુજબ નંદકિશોરે આ ફરિયાદ તેમની તસવીર મંજૂરી વગર ઉપયોગ કરવા માટે નોંધાવી છે.આ સિવાય નંદકિશોરે એક મોટું નિવેદન પણ આપ્યું છે.મીડિયા રિપોર્ટ પ્રમાણે નંદકિશોરે કહ્યું કે ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી દેશભક્ત છે.પોતાની દેશભક્તિ દાખવતા પાતાલ લોક બનાવવા માટે પોતાની પત્ની અનુષ્કા શર્માને તલાક આપી દેવો જોઈએ. સ્પષ્ટ પણે આમાં તેમનો કોઈ રોલ નહીં હોય.

રિપોર્ટ મુજબ નંદકિશોરે કહ્યું કે વેબ સીરીઝમાં વિવાદિત કંટેન્ટને લઈ અનુષ્કા પર કાર્યવાહી થવી જોઈએ.નંદકિશોરે જણાવ્યું કે તેઓ એક ધારાસભ્ય છે અને મંજૂરી વગર તેમની તસવીરનો ઉપયોગ વેબ સીરીઝ પાતાલ લોકમાં કરવામાં આવ્યો છે.એક ખાનગી મીડિયા સાથે વાત કરતા નંદકિશોરે કહ્યું કે દેશથી મોટું કોઈ નથી. વિરાટ કોહલી દેશ માટે રમે છે અને દેશભક્ત પણ છે. તેમણે અનુષ્કાને તરત જ છૂટાછેડા આપી દેવા જોઈએ.

Share Now