કંગના સાથેનો વિવાદ રાવતને ફળ્યો, શિવસેનાએ મુખ્ય પ્રવક્તા બનાવ્યા

358

મુંબઈ : સુશાંત કેસના મામલે અભિનેત્રી કંગ ના રણૌત સાથે ચર્ચાનો વિષય બનેલા સાંસદ સભ્ય સંજય રાવતને પાર્ટીમાં પ્રમોશન મળી ગયું છે.શિવસેનાએ સંજય રાવતને ફરી એક વખત પાર્ટીના મુખ્ય પ્રવક્તા બનાવ્યા છે.શિવસેનાના સામનાના એક્ઝિક્યૂટિવ એડિટર અને રાજ્યસભા સાંસદ રાવત સોશિયલ મીડિયા પર પોતાના નિવેદનોને કારણે છેલ્લા થોડા સમયથી ખૂબ જ ચર્ચામાં રહ્યા છે.

સંજય રાવત દ્વારા લખાયેલા આર્ટિકલ, ટ્વીટ અને નિવેદનો સતત પાર્ટીના મુદ્દાઓને રજૂ કરતા હોય છે તેમજ વિવાદનું કારણ પણ બનતા હોય છે.આ ઉપરાંત ટીવી પર પણ તેમનો ચહેરો જાણીતો છે.છેલ્લા થોડા સમયથી અભિનેત્રી કંગના રણૌત અને તેમની વચ્ચે શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું છે.કંગનાએ મુંબઈ પોલીસની ટીકા કરી ત્યારબાદ સંજય રાવતે તેને વળતો જવાબ આપ્યો હતો.

આ દરમિયાન કંગના રણૌત અને સંજય રાવત વચ્ચે ચાલુ થયેલા શાબ્દિક યુદ્ધમાં રાવત દ્વારા અપશબ્દોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો,જ્યારબાદ લોકોએ તેમની આકરી નિંદા કરી હતી.જોકે,બાદમાં તેમણે કહ્યું હતું કે,તેમણે કોઈ અપશબ્દોનો ઉપયોગ કર્યો નથી.તેમણે પોતાના બચાવમાં કહ્યું કે તેમના શબ્દનો અલગ જ અર્થ કાઢવામાં આવી રહ્યો છે.બંને વચ્ચેનું શાબ્દિક યુદ્ધ હજી પણ ચાલી રહ્યું છે.

Share Now