મોદીએ ટ્વીટ કરીને શ્રદ્ધાંજલી આપી : સોલંકી અવિસ્મરણીય નેતા

366

નવી દિલ્હી, તા. 9 : વડાપ્રધાન અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ટ્વીટ કરીને સ્વ.માધવસિંહ સોલંકીને શ્રદ્ધાંજલી અર્પી છે. તેમણે ટ્વીટમાં લખ્યું હતું કે, સ્વ.માધવસિંહ સોલંકી કયારેય ન ભૂલાય એવા નેતા હતા. સમાજ માટે તેમણે ખૂબ સેવા આપી હતી તેમના પુત્ર ભરતસિંહ સાથે વાત કરીને શોક વ્યકત કર્યો છે.રાજકારણ સિવાય તેઓ વાંચન અને સંસ્કૃતિના ખુબ શોખીન હતા. અમો મળતા ત્યારે પુસ્તકોની વાત થતી અને નવા પુસ્તકની માહિતી આપતા હતા તેમની સાથે વાત કરવાથી આનંદ મળતો હતો… ઓમ શાંતિ…

Share Now