કાશ્મીરમાં મહત્વની સફળતા : ભાજપના ત્રણ કાર્યકર્તાની હત્યા કરનાર ત્રાસવાદી જીવતો પકડાયો

365

શ્રીનગર તા.13 : કાશ્મીરમાં સુરક્ષાદળોને એક મહત્વની સફળતા મળી છે. ભાજપના ત્રણ કાર્યકરોની હત્યા કરનાર કુખ્યાત ત્રાસવાદી ઝહૂર અહેમદને જીવતો પકડી લેવામાં આવ્યો છે.જેને પગલે અનેક ત્રાસવાદી હુમલાના રહસ્યો પરથી પડદો ઉંચકાઈ શકે છે.કાશ્મીરના કુલગામ જીલ્લામાં ગત વર્ષે ભાજપના ત્રણ કાર્યકર્તાઓની ત્રાસવાદીઓએ હત્યા કરી હતી.આ કૃત્યમાં ધ રેસીસ્ટેંસ ફોર્સના ત્રાસવાદી ઝહૂર અહમદનો હાથ હોવાની શંકા હતી.હવે તેને સાંબા જીલ્લામાંથી જીવતો પકડવામાં આવ્યો છે.આ સંગઠન પણ ખતરનાક લશ્કર-એ-તોઈબા સંગઠનનો જ ભાગ છે.ભાજપના ત્રણ કાર્યકર્તા ઉપરાંત એક પોલીસ જવાનની હત્યામાં પણ ઝહૂર સામેલ હતો.

Share Now