નવી દિલ્હી તા.4 : આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને દિલ્હી વકફ બોર્ડના અધ્યક્ષ અમાનતુલ્લા ખાને વડાપ્રધાન મોદીને પત્ર લખીને જણાવ્યું છે કે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેકટમાં જો કોઈ મસ્જીદને નુકશાન થયું તો તે સહન કરવામાં નહીં આવે.ધારાસભ્યે પત્રમાં વધુમાં ટવીટ કર્યું હતું કે સેન્ટ્ર વિસ્ટા પ્રોજેકટના કારણે માનસિંહ રોડ પર જાબ્તા ગંજ મસ્જીદ,ઉપરાષ્ટ્રપતિ આવાસની મસ્જીદ અને કૃષિ ભવનની મસ્જીદને નુકશાન થઈ શકે છે.આ બારામાં અમે વડાપ્રધાન કાર્યાલય અને હરદીપસિંહજી સાથે ચર્ચા કરશું.કોઈપણ સંજોગોમાં આ મસ્જીદોનું નુકશાન સહન કરવામાં નહીં આવે.