– કોર્ટે અપમાનજનક ટિપ્પણીઓના કારણે નંદી ઈન્ફ્રાસ્ટ્રકચર કોરિડોર એન્ટરપ્રાઈઝીસને થયેલા નુકસાન પેટે દેવગૌડાને દડં કર્યેા
કર્ણાટકમાં બેંગલુની એક કોર્ટે પૂર્વ વડાપ્રધાન એચ ડી દેવગૌડાને ૧૦ વર્ષ પહેલા એક ટેલીવિઝન ઈન્ટરવ્યુમાં નંદી ઈન્ફ્રાસ્ટ્રકચર કોરિડોર એન્ટરપ્રાઈઝીસ સામે ‘અપમાનજનક નિવેદન’ માટે દડં તરીકે કંપનીને બે કરોડ રૂપિયાની ચૂકવણી કરવાનો નિર્દેશ આપ્યો છે.૮મી દિવાની તેમજ સેશન્સ કોર્ટના જજ ન્યાયાધીશ મલ્લનગૌડાએ એનઆઈસીઈ દ્રારા કરાયેલા કેસ પર આ નિર્દેશ આપ્યો છે.કંપનીના પ્રવર્તક અને મેનેજિંગ ડિરેકટર અશોક ખેની છે,જે બીદર દક્ષિણ પૂર્વના ધારાસભ્ય છે.
એક કન્નડ સમાચાર ચેનલ પર ૨૮ જૂન ૨૦૧૧એ પ્રસારત ઈન્ટવ્ર્યુનો ઉલ્લેખ કરતા કોર્ટે અપમાનજનક ટિપ્પણીઓના કારણે કંપનીની પ્રતિાને થયેલા નુકસાન માટે દેવગૌડાએ કંપનીની પ્રતિાને થયેલા નુકસાન માટે દેવગૌડાને કંપનીને બે કરોડ રૂપિયા દડં પેટે આપવાનો નિર્દેશ આપ્યો છે.જનતા દળ (સેકયુલર)ના પ્રમુખે એનઆઈસીઈ પરિયોજના પર નિશાન સાધ્યું હતું અને તેને ‘લૂટ’ જણાવી હતી.કોર્ટે કહ્યું કે, જે પરિયોજના પર સવાલ કરાયો, તેને કર્ણાટક હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં જાળવી રાખી છે.કોર્ટે ૧૭ જૂને પોતાના નિર્ણયમાં કહ્યું કે, કંપનીની પરિયોજના મોટી છે અને કર્ણાટકના હિતમાં છે.
કોર્ટે કહ્યું કે, ‘જો ભવિષ્યમાં આ પ્રકારના અપમાનજનક નિવેદન આપવાની મંજૂરી અપાય છે,તો નિશ્ચિત રીતે,કર્ણાટક રાયના વ્યાપક જનહિતવાળી આના જવી મોટી પરિયોજના શ થવામાં વિલબં થશે.’ કોર્ટે કહ્યું કે, ‘કોર્ટેને લાગે છે કે પ્રતિવાદી સામે સ્થાયી મનાઈ હત્પકમ જારી કરી આવા નિવેદનો પર અંકુશ લગાવવો જરી છે.’