બાબા કા ઢાબા ના માલિક કાંતા પ્રસાદએ ગયા અઠવાડીએ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો તેમની સારવાર થઇ ચૂકી છે અને હાલ તેમને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ છે અને તેઓ ઘરે છે.બાબા કા ધાબા નામથી ફેમસ થનાર કાંતા પ્રસાદ એ કથિત રીતે આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો તેમણે ઊંઘની ગોળીઓ ખાઇને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો.
પોલીસ દ્વારા તેમનું નિવેદન લેવામાં આવ્યું હતું તેમાં તેઓ જણાવે છે કે કેટલાક યૂટ્યુબર મને ગોરવ વાસની માફી માગવા દબાણ કરી રહ્યા હતા.પોલીસ દ્વારા જાણકારી આપવામાં આવી છે કે બાબા ની હાલત સ્થિર છે અને યૂટ્યુબરસની તપાસ ચાલી રહી છે.
બાબાના પુત્ર જણાવ્યું હતું કે ઘણા સમયથી ડિપ્રેશનમાં હતા લોકો તેમની પાસે માફી માગવા મજબુર કરી રહ્યા હતા.ઘણા લોકો તો ઢાબા પાસે આવીને આશબ્દ પણ બોલી જતા હતા.મારા પિતાએ આ આ કારણથી જ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે.તેમના પુત્ર એ જ્યારે બાબા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યારે જ તેમણે પોલીસને નિવેદન આપ્યું હતું.
થોડા દિવસો પહેલા જ સમાચાર મળ્યા હતા કે ગોરવ વાસન બાબાને મળવા તેમની દુકાન પર મળવા ગયો હતો.બાબા એ તેને ભેટીને માફી માંગી હતી અને એ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ પણ થયા હતા.પરંતુ બાબાનું એવું કહેવું છે કે જે માફી માંગી હતી તે લોકોના દબાવને કારણે માફી માગી હતી લોકો નાસ્તો કરવા ઓછા અને સલાહ દેવા અને માફી માગવાની વાતો કરવા વધારે આવતા હતા આથી મારે આ પગલું ભરવું પડ્યું હતું.