‘બાલિકા વધૂ’ની લોકપ્રિય જોડી તુટી, સિધ્ધાર્થનુ હાર્ટ એટેકથી મોત તો પ્રત્યુષાએ આત્મહત્યા કરી હતી

276

મુંબઈ,તા.2.સપ્ટેમ્બર : ટીવી પર વર્ષો પહેલા આવેલી બાલિકા વધુ સિરિયલ લોકોને આજે પણ યાદ છે.સિધ્ધાર્થને આ સિરિયલે ઘરે ઘરે જાણીતો કર્યો હતો.તેની સાથે સાથે બાલિકા વધુમાં આનંદીનુ પાત્ર ભજવનાર પ્રત્યુષા બેનરજી પણ લોકપ્રિય થઈ ગઈ હતી.

વિધિની વિડંબના એ છે કે,આ બંને સિતારાઓની જોડી તુટી ગઈ છે. પ્રત્યુષા બેનરજી અને સિધ્ધાર્થ શુક્લા બહુ નાની ઉંમરે મોતને ભેટયા છે.આ સિરિયલમાં શિવનુ પાત્ર ભજવનાર સિધ્ધાર્થનુ કાર્ડિયક અરેસ્ટથી મોત થયુ છે અને તેના પહેલા પ્રત્યુષા બેનરજીએ આત્મહત્યા કરી હતી.તેની મોત માટે કેટલાક લોકોએ પ્રત્યુષાના બોયફ્રેન્ડ રાહુલ રાજને જવાબદાર ઠેરવ્યો હતો તો કેટલાકનુ માનવુ હતુ કે, ખરાબ કેરિયરના કારણે તેણે આત્મહત્યા કરી હતી.જોકે કોઈ જાતની સુસાઈડ નોટ તે સમયે મળી નહોતી અને પ્રત્યુષાના મોત માટે માત્ર અટકળો જ થઈ શકી હતી.

એક્ટ્રેસના માતા પિતાનો દાવો હતો કે, અમારી પુત્રીનુ મર્ડર કરવામાં આવ્યુ હતુ.જોકે છેલ્લા પાંચ વર્ષથી પ્રત્યુષાના મોતનુ રહસ્ય ઉકેલી શકાયુ નથી.તેના માતા પિતા હજી પણ પુત્રીને ન્યાય અપાવવા માટે કેસ લડી રહ્યા છે.

Share Now