UP : PM મોદીએ કહ્યુ- 100 કરોડ રૂપિયાની યોજના 10 હજાર કરોડ રૂપિયામાં પુરી થઇ, વિપક્ષ પર સાધ્યું નિશાન

409

PM Narendra Modi in UP:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઉત્તર પ્રદેશના બલરામપુરમાં 9800 કરોડ રૂપિયાનો ખર્ચે તૈયાર સરયૂ નહેર રાષ્ટ્રીય યોજનાનું ઉદ્ધાટન કર્યું હતું.આ દરમિયાન કાર્યક્રમને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે હું આજે દેશના એ વીર યોદ્ધાઓને શ્રદ્ધાંજલિ આપી રહ્યો છું જેમનું આઠ ડિસેમ્બરના રોજ હેલિકોપ્ટર ક્રેશમાં નિધન થયું છે.ભારતના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતજીનું જવું તમામ ભારતપ્રેમી, તમામ રાષ્ટ્રભક્ત માટે ખૂબ મોટું નુકસાન છે.

Share Now