નવી દિલ્હી, તા. 04 જાન્યુઆરી 2022, મંગળવાર : છેલ્લા કેટલાય સમયથી સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવના નજીકના લોકો પર ચાલી રહેલા આયકર વિભાગ સહિત અન્ય વિભાગોના દરોડા મંગળવારે પણ ચાલુ જ છે.આયકર વિભાગ અખિલેશ યાદવના વધુ એક નજીકના ACE ગ્રુપના પ્રમોટર અજય ચૌધરીના 4 સ્થળો પર દરોડા પાડી રહ્યા છે.મળતી માહિતી અનુસાર આયકર વિભાગ ACE ગ્રુપની કંપનીઓ અને તેના પ્રમોટર અજય ચૌધરીના દિલ્હી, નોઈડા, ગ્રેટર નોઈડા અને આગ્રા સ્થિત સ્થળો પર દરોડા પાડી રહી છે.
અગાઉ કન્નૌજમાં અત્તરના વેપારી પર પણ દરોડો પાડવામાં આવ્યા
અગાઉ કન્નૌજના અત્તરના વેપારી અને સપાના એમએલસી પુષ્પરાજ જૈનના કેટલાય સ્થળો પર આયકર વિભાગે દરોડા પાડવામાં આવ્યા હતા અને તે અગાઉ પીયુષ જૈન જેઓ પણ અત્તરના વેપારી છે તેમના કેટલાય સ્થળો પર દરોડો પાડી કરોડો રૂપિયા,સોનુ વગેરે મળી આવ્યું હતું. જે એક ચર્ચાનો વિષય બન્યો હતો.