પીયુસીના દરોમાં વધારો ઝીકાતાં વાહનચાલકોમાં ભારે નારાજગી

326

મુંબઇ : ઇંધણના દરમાં સતત થતા વધારાને લીધે દાઝેલા વાહનમાલિકોએ હવે પીયુસી (પોલ્યુશન અન્ડર કન્ટ્રોલ) ટેસ્ટ માટેના દરમાં વધારો કરવામાં આવતા નારાજી વ્યક્ત કરી છે.મહારાષ્ટ્રના પરિવહન વિભાગના આદેશ અનુસાર વાહનોનું પીયુસી ચેકિંગ કરીને પછી પ્રદૂષણ નિયંત્રણમાં છે એવું પ્રમાણપત્ર આ પવામાં આવે છે.આ પીયુસી ટેસ્ટના દરમાં તત્કાળ વધારો અમલી બનાવવામાં આવ્યો છે.પેટ્રોલ, ડિઝલ, સીએનજી અને અન્ય ગેસ પર ચાલનારા વાહનોને આ દરવધારા હેઠળ આવરી લેવામાં આવ્યા છે.

Share Now