વીજકટોકટી વચ્ચે ૧૧૦૦ ટ્રેન ૨૪મી સુધી બંધ રહેશે

126

દેશના ૧૦૮ થર્મલ પાવર પ્લાન્ટ્સમાં કોલસાનો જથ્થો ખૂટી પડયો છે.આ થર્મલ સ્ટેશનોમાં કોલસો તાકીદની અસરથી પહોંચાડવા માટે માલગાડીઓ દોડાવાઈ રહી છે.એ માટે ૧૧૦૦ ટ્રેનો ૨૪મી મે સુધી બંધ રહેશે.રેલવે મંત્રાલયના કહેવા પ્રમાણે કોલસાની અછત ધરાવતા થર્મલ પાવર સ્ટેશનોમાં તુરંત કોલસો પહોંચે તે માટે માલગાડીઓને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.તેના ભાગરૃપે અસંખ્ય પેસેન્જર ટ્રેનો રદ્ થઈ છે. આગામી ૨૪મી મે સુધી ૧૧૦૦ પેસેન્જર ટ્રેનો બંધ રહેશે.રેલવેએ સૌથી પહેલાં ૭૦૦ જેટલી પેસેન્જર ટ્રેન રદ્ કરી હતી.એ પછી વધુ ૨૪૦ પેસેન્જર ટ્રેનો રદ્ કરીને માલગાડીઓને પ્રાથમિકતા અપાઈ હતી.પેસેન્જર ટ્રેન દોડતી હોય તો માલગાડીઓને પ્રાથમિકતા મળે નહીં.માલગાડીઓ સમયસર થર્મલ સ્ટેશનોમાં કોલસો ન પહોંચાડે તો વીજકાપની સ્થિતિ વધુ ગંભીર બની જાય.આ સ્થિતિ નિવારવા માટે રેલવે મંત્રાલયે કટોકટીની સ્થિતિમાં ૧૧૦૦ જેટલી ટ્રેનો હજુ ૨૦ દિવસ સુધી બંધ રાખવાની જાહેરાત કરી છે.કેન્દ્ર સરકારે કહ્યું હતું એ પ્રમાણે દિલ્હી, રાજસ્થાન, પંજાબ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્રમાં સૌથી વધુ કોલસાની અછત સર્જાઈ ગઈ છે.આ રાજ્યોમાં વીજળીના માગમાં અભૂતપૂર્વ ઉછાળો આવ્યો હોવાથી વીજળીનો જથ્થો ઘટી ગયો હતો.ઉત્પાદન વધારવામાં આવતા કોલસાની અછત સર્જાઈ હતી.એ અછતને પહોંચી વળવા અસંખ્ય માલગાડીઓ દેશભરમાં કોલસાનો જથ્થો પહોંચાડવા માટે દોડી રહી છે.

Share Now