દેશની રક્ષા કાજે અગ્નિપથનું એલાન : નવા નિયમો સાથે સેનામાં ભરતીની જાહેરાત

118

નવી દિલ્હી : તા.14 જૂન 2022,મંગળવાર : નરેન્દ્ર મોદીના નેતૃત્વ વાળી કેન્દ્ર સરકારે સેનામાં સુધારો કરવાને લઈને મોટા બદલાવની માટે રક્ષામંત્રી રાજના સિંહે આજે’અગ્નિપથ ભરતી યોજના'(Agnipath recruitment scheme)નું એલાન કર્યું છે.રાજનાથ સિંહે જણાવ્યું કે,અગ્નિપથ ભરતી યોજના હેઠળ સેનામાં 4 વર્ષ માટે યુવાનોની ભરતી કરવામાં આવશે.આ સાથે જ તેમને નોકરી છોડતી વખતે સર્વિસ ફંડ પેકેજ પણ મળશે.આ યોજના હેઠળ સેનામાં સામેલ થતા યુવાનોને અગ્નિવીર કહેવામાં આવશે.

ત્રણેય સેનાઓના પ્રમુખોએ તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ યોજનાનું પ્રેઝન્ટેશન પણ આપ્યું હતું.આ યોજના હેઠળ સેનામાં યુવાનોની ઓછા સમય માટે ભરતી થઈ શકશે.આ યોજનાનું અગ્નિપથ સ્કીમ નામ આપવામાં આવ્યું છે.આ હેઠળ યુવાનો 4 વર્ષ માટે સેનામાં સામેલ થઈ શકે છે અને દેશની સેવા કરી શકશે.

આ યોજના હેઠળ 4 વર્ષ માટે યુવાનો(અગ્નિવીરો)ની સેનામાં ભરતી કરવામાં આવશે.જોકે 4 વર્ષ બાદ મોટા ભાગના જવાનોને તેમની સેવામાંથી મુક્ત કરી દેવામાં આવશે.4 વર્ષના અંતરાલ બાદ જે યુવાનોને સેનાની નોકરીમાંથી મુક્ત કરવામાં આવશે તેમને બીજી જગ્યાએ નોકરી અપાવવા પણ સેના એક સક્રિય ભૂમિકા નિભાવશે.સેનામાં જો કોઈ 4 વર્ષ કામ કરી લેશે તે તેમની પ્રોફાઈલ મજબૂત બની જશે અને દરેક કંપની આવા યુવાનોને હાયર કરવામાં રસ દાખવશે.

આ ઉપરાંત 25% જવાનો નોકરી ચાલું રાખી શકશે જેઓ નિપુણ અને સક્ષમ હશે.જોકે આ ત્યારે જ શક્ય રહશે જ્યારે તે સમયે સેનામાં ભરતી બહાર પડી હશે.આ પ્રોજેક્ટના કારણે સેનાને કરોડો રૂપિયાની બચત પણ થઈ શકશે.એક તરફ ઓછા લોકોને પેન્શન આપવું પડશે તો બીજી તરફ પગારમાં પણ બચત થશે.

Share Now